નેપાળમાં ભયાનક પૂરથી હાહાકાર: સેંકડો પ્રવાસીઓ લાપતા, ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર

નેપાળના તિબેટ સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. ભોટે કોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું અને રસ્તા, પુલ, મકાનો તથા વીજળીના પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. સૌથી ગંભીર અસર રસુવાના તિમુરે અને સ્યાફ્રુબેસી વિસ્તારોમાં જોવા મળી છે. નેપાળ ટુરિઝમ બોર્ડના પ્રાથમિક અહેવાલ મુજબ, પૂરની અસર બાદ 384 પ્રવાસીઓ અને મુસાફરોનો સંપર્ક થઈ રહ્યો નથી. તેમાં 291 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. વિદેશી નાગરિકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. હાલની યાદીમાં 105 ભારતીય પ્રવાસીઓ અને 37 NRIનો સમાવેશ થાય છે. જોકે, આ યાદી પ્રાથમિક છે અને અધિકારીઓ ટ્રાવેલ એજન્સીઓ, સ્થાનિક પ્રશાસન, સુરક્ષા દળો અને ટૂર ગાઇડ્સ પાસેથી માહિતી મેળવીને…