પાકિસ્તાનની ‘એકતા’નો ફિયાસ્કો: બ્રેડફોર્ડમાં કાશ્મીરીઓએ ઇસ્લામાબાદના જૂઠાણાંની પોલ ખોલી

પાકિસ્તાન દર વર્ષે 5 ફેબ્રુઆરીએ ‘કાશ્મીર એકતા દિવસ’ ઉજવતું છે અને કાશ્મીરીઓના હકનો દાવો કરતું દેખાવ કરે છે. પરંતુ આ વર્ષે બ્રિટનના બ્રેડફોર્ડમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર કાશ્મીરી લોકોએ મોટું વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાનની છલકામ અને PoJKમાં થતા અત્યાચારની ખરાબ હકીકત દુનિયા સામે ઊઘાડી દીધી છે. ‘આ એકતા નહીં, છેતરપિંડી છે’ યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન કાશ્મીરીઓએ પાકિસ્તાનની ઉજવણીને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. UKPNP ના સેક્રેટરી સરદાર તાહિર ખાને જણાવ્યું, “પાકિસ્તાન દ્વારા મનાવવામાં આવતો આ દિવસ કાશ્મીરીઓ સાથે એક મોટી મજાક અને છેતરપિંડી છે. ખરેખર તો આ દિવસને ‘વિશ્વાસઘાત દિવસ’ તરીકે મનાવવો જોઈએ.” પ્રદર્શનકારોએ “અમારી નદીઓ અમારી છે” અને “જમીન હડપવાનું બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કરીને પાકિસ્તાની સેનાના અત્યાચારનો પ્રતિકાર…

નેપાળમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના કરુણ મોત

નેપાળમાં એક હૃદયદ્રાવક અકસ્માતે લગ્નની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. પશ્ચિમ નેપાળના સુદુરપશ્ચિમ પ્રાંતના બૈતાડી જિલ્લામાં લગ્ન પ્રસંગે જઈ રહેલા મહેમાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નિયંત્રણ ગુમાવતા બસ પલટી મળતી માહિતી મુજબ, બસ બૈતાડીની પુરચૈદી મ્યુનિસિપાલિટીમાંથી બજહાંગ તરફ જઈ રહી હતી. ગુરુવારે મોડી સાંજે પુરચૈદી બડગાંવ મોડ પાસે ચાલકે અચાનક બસ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ઊંડી ખીણમાં ખાબકી ગયું. અકસ્માત એટલો ભયાનક હતો કે 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 5 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. 34 મુસાફરો ગંભીર રીતે ઘાયલ બૈતાડી પોલીસ વડા દીપક કુમાર રોયે જણાવ્યું હતું કે, અકસ્માતમાં અન્ય 34…

યુદ્ધની સ્થિતિ વચ્ચે પાડોશી દેશ આવ્યો ભારતના સમર્થનમા, આપ્યું આ મોટું નિવેદન

ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા કર્યા. આ દરમિયાન, ભારતને પડોશી દેશ નેપાળ તરફથી સમર્થન મળ્યું છે. નેપાળે ગુરુવારે કહ્યું કે તે પ્રદેશમાં વધતા તણાવ અંગે “ખૂબ ચિંતિત” છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિમાલયનો આ રાષ્ટ્ર તેની ભૂમિનો ઉપયોગ તેના પડોશીઓ સામે “પ્રતિકૂળ” દળોને થવા દેશે નહીં. એટલું જ નહીં, નેપાળે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ. નેપાળના વિદેશ મંત્રાલયની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, પાકિસ્તાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)…