યુદ્ધની સ્થિતિ વચ્ચે પાડોશી દેશ આવ્યો ભારતના સમર્થનમા, આપ્યું આ મોટું નિવેદન

ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા કર્યા. આ દરમિયાન, ભારતને પડોશી દેશ નેપાળ તરફથી સમર્થન મળ્યું છે. નેપાળે ગુરુવારે કહ્યું કે તે પ્રદેશમાં વધતા તણાવ અંગે “ખૂબ ચિંતિત” છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિમાલયનો આ રાષ્ટ્ર તેની ભૂમિનો ઉપયોગ તેના પડોશીઓ સામે “પ્રતિકૂળ” દળોને થવા દેશે નહીં. એટલું જ નહીં, નેપાળે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ.

નેપાળના વિદેશ મંત્રાલયની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, પાકિસ્તાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પંજાબ પ્રાંતમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં એક નેપાળી નાગરિક સહિત 26 લોકો માર્યા ગયા હતા.

આ પછી, પાકિસ્તાને બુધવારે રાતથી જ ભારત પર હુમલો શરૂ કરી દીધો. પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી ભારતીય શહેરોને નિશાન બનાવ્યા, પરંતુ પહેલાથી જ સતર્ક ભારતીય સેનાએ પાકિસ્તાનના મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતે લાહોર સહિત પાકિસ્તાનના ઘણા શહેરોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો:સ્પાઇસજેટ અને ઇન્ડિગો તરફથી મુસાફરો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી, 3 કલાક પહેલા પહોંચવાની અપીલ

આતંકી હુમલાને લઈ વ્યક્ત કર્યું દુખ
નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે નેપાળ સરકાર ખૂબ ચિંતિત છે, જેમાં એક નેપાળી નાગરિકનો જીવ ગયો હતો.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ દુ:ખદ સમયમાં નેપાળ અને ભારત એકતામાં ઉભા છે.” “બંને દેશોએ દુઃખ અને પીડામાં એક રહેવું જોઈએ.”

Related Posts

વરસાદની આફત: TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી, હવે આ તારીખે યોજાશે મેગા ટેસ્ટ : 2026 Urgent

TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી: ભારે વરસાદને કારણે હવે 8 ઓગસ્ટે યોજાશે પરીક્ષા  ભારે વરસાદની આગાહી અને IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી રાખી છે. હવે પરીક્ષા 8 ઓગસ્ટે યોજાશે. જાણો સંપૂર્ણ વિગતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા ટેટ (ઉચ્ચ માધ્યમિક) મુખ્ય પરીક્ષા (TAT-HS Main Examination) મુલતવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા 2 ઓગસ્ટના રોજ યોજાવાની હતી, પરંતુ હવે તે 8 ઓગસ્ટના રોજ યોજાશે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો ઉમેદવારોને રાહત મળી છે, કારણ કે ભારે વરસાદને કારણે મુસાફરી, પરીક્ષા કેન્દ્ર સુધી…

ક્રૂડ ઓઈલ ગગડ્યું: મધ્ય પૂર્વમાં તણાવ ઘટતા ભાવમાં મોટો ઘટાડો, વૈશ્વિક બજારોમાં રાહત 2026 Crash Plunge

ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો: મધ્ય પૂર્વમાં તણાવ હળવો પડતા બ્રેન્ટ ક્રૂડ ગગડ્યું, વૈશ્વિક બજારોમાં રાહતનો માહોલ  ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો: બ્રેન્ટ ક્રૂડના ભાવ ગગડ્યા, ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર માટે સારા સંકેત  મધ્ય  ક્રૂડ ઓઈલ ભાવ, Brent Crude Price, Crude Oil News Gujarati, વૈશ્વિક બજાર, મધ્ય પૂર્વ તણાવ, પેટ્રોલ ડીઝલ ભાવ વૈશ્વિક કોમોડિટી બજારમાં ફરી એકવાર મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. મધ્ય પૂર્વમાં ભૌગોલિક તણાવ હળવો થવાના સંકેતો અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) દ્વારા નવા સૈન્ય હુમલા ટાળવાના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ સસ્તું થતાં વૈશ્વિક શેરબજાર, આયાત આધારિત અર્થતંત્રો અને ઊર્જા ક્ષેત્ર માટે આ સકારાત્મક સમાચાર માનવામાં આવી રહ્યા છે. વિશ્લેષકોના મતે, મધ્ય પૂર્વમાં યુદ્ધ અથવા સૈન્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *