બિહાર વિજય પર PM મોદીના પ્રહાર, કહ્યું – “જાતિવાદના ઝેરને બિહારે નકારી કાઢ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ની ૨૦૨ સીટની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધી ગઠબંધન, ખાસ કરીને RJD અને કોંગ્રેસ પર તીખા રાજકીય પ્રહાર કર્યા. ગુજરાતના સુરત એરપોર્ટ પર યોજાયેલી જનસભામાં તેમણે કહ્યું કે “બિહારના લોકોએ જાતિ આધારિત રાજકારણનું ઝેર નકારી કાઢ્યું છે.” મોદીએ દાવો કર્યો કે છેલ્લા બે વર્ષથી RJD–કોંગ્રેસ ગઠબંધન દ્વારા “જાતિવાદ”નું રાજકારણ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામો એ લોકોના મૂડને સ્પષ્ટ કરી દીધો. તેમણે જણાવ્યું કે દલિત પ્રભાવ ધરાવતા તમામ ૩૮ મતવિસ્તારોમાં NDAનો વિજય એ વિભાજનકારી રાજકારણ પર મોટો પ્રહાર છે. કોંગ્રેસને ‘MMC’ ગણાવી પ્રહાર કોંગ્રેસ પર આરોપ લગાવતા મોદીએ પાર્ટીને “મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ (MMC)” માતાલ વાણીથી નિશાન બનાવી. તેમણે કહ્યું કે કોંગ્રેસના જૂના અને પરંપરાગત નેતાઓ…

બિહારમાં NDAની ઐતિહાસિક જીત, PM મોદીએ કહ્યું-મહિલા અને યુથ એ જ નવો MY ફોર્મ્યુલા

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ઐતિહાસિક બહુમતીની તરફ આગળ વધી રહ્યું છે. આ પરિણામો બાદ સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કરતાં બિહારની આ પ્રચંડ જીત વિશે મહત્વપૂર્ણ નિવેદનો કર્યા. મોદીનો નવો ‘MY ફોર્મ્યુલા’ સંબોધન દરમિયાન PM મોદીએ જૂની કહેવત “લોહા લોહે કો કાટતા હૈ” નો ઉલ્લેખ કર્યો અને સમજાવ્યું કે બિહારમાં વર્ષો પહેલા કેટલાક પક્ષોએ તુષ્ટિકરણ આધારિત ‘MY (મુસ્લિમ + યાદવ)’ ફોર્મ્યુલા ઉભો કર્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં બિહારની પ્રજાએ નવા અર્થનો ‘MY ફોર્મ્યુલા’ આપ્યો છે — મહિલા અને યુથ (Women + Youth). મોદીએ જણાવ્યું કે બિહાર યુવાનોની ઊંચી વસ્તી ધરાવતું રાજ્ય છે, જ્યાં દરેક જાતિ…

બિહારમાં NDAની લહેર: એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મોટો ઝટકો, પ્રશાંત કિશોરની JSP પણ ધોવાઈ ગઈ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બહાર આવેલા વિવિધ એક્ઝિટ પોલના અંદાજોમાં NDA માટે ઐતિહાસિક જીતના સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ફરી સત્તામાં વાપસી કરશે, તેવો અનુમાન મોટાભાગની એજન્સીઓએ વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલના સંકલિત આંકડા મુજબ: NDA ને 147 થી 167 બેઠકો મળવાની શક્યતા છે. મહાગઠબંધન (રાષ્ટ્રીય જનતા દળ + કોંગ્રેસ) ને 70 થી 90 બેઠકો મળી શકે છે. અન્ય નાના પક્ષો, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી (JSP) પણ શામેલ છે, તેમને 0 થી 2 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. આ આંકડા સૂચવે છે કે NDA…