NEET પેપર લીક વિવાદ વચ્ચે નવા સચિવની નિમણૂક બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા

NEET પરીક્ષા અને પેપર લીકને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ડેરી અને પશુપાલન વિભાગમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. બીજી તરફ, હાલના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીની બદલી કરીને તેમને પંચાયતી રાજ મંત્રાલયમાં મોકલવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે શિક્ષણ મંત્રાલય NEET પરીક્ષા સંબંધિત વિવાદો અને વિવિધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના કારણે સતત ચર્ચામાં છે. પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, સુરક્ષા અને જવાબદારીને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. NEET વિવાદ વચ્ચે વધ્યું રાજકીય દબાણ તાજેતરના સમયમાં NEET પરીક્ષાને લઈને અનેક…