નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર
અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની…
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ, 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ
મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ સતત ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરમાં હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદના કેડિલા ફ્લાયઓવર વિસ્તારમાં 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. 70 મીટર લાંબો અને 670 મેટ્રિક ટન વજનનો વિશાળ બ્રિજ આ સ્ટીલ બ્રિજ 70 મીટર લાંબો, 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. તેનો કુલ વજન લગભગ 670 મેટ્રિક ટન છે. નવસારી ખાતેની આધુનિક વર્કશોપમાં તેનું ફેબ્રિકેશન પૂર્ણ કર્યા બાદ તેને હેવી-ડ્યુટી ટ્રેલર્સ દ્વારા સુરક્ષિત રીતે નિર્માણ સ્થળે લાવવામાં આવ્યો હતો. બ્રિજને જમીનથી 16.5 મીટર ઊંચે ખાસ ડિઝાઇન કરાયેલા સ્ટીલ સ્ટેજિંગ પર એસેમ્બલ કરવામાં આવ્યો. તેની મજબૂતી સુનિશ્ચિત કરવા માટે આશરે 29,300 TTHS…
Nadiad : નડિયાદમાં પરિણીતાનો આપઘાત, સંતાન નહીં થતાં પતિના ત્રાસથી હેરાન થઈ ગળે ફાંસો ખાધો
નડિયાદમાં પરિણીતાનો આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. લગ્નના સાત જ વર્ષમાં માત્ર 23 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાને સંતાન થતા ન થતાં પતિ અવારનવાર ઝઘડા કરતો હતો. એટલુ જ નહીં સાસુ સસરા પણ ત્રાસ આપતા હતા. જેથી ત્રાસથી કંટાળી પરિણીતા પિયર આવી હતી. પણ પિયરપક્ષે દિકરીનું ઘર ન તૂટે તે વિચારે સમજાવીને પરત મોકલી હતી. આખરે ત્રાસ સહન ન થતાં પરિણીતાએ આજે સવારે ફાંસો ખાઈ લીધો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલથી દાંડી સાયકલ યાત્રા થશે શરૂ, 1600 જેટલા યુવાનો લેશે ભાગ મહેમદાવાદના જરાવત ગામે રહેતા હિંમતસિંહ રતાજી ઝાલાએ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમની નાની દિકરી દક્ષા (ઉં.વ.23)ના લગ્ન સાતેક વર્ષ પહેલાં…
Anand : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, આણંદમાં રૂ.64.29 કરોડનાં ખર્ચે નવી જેલ બનશે!
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી છે. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થશે. નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદીઓ અને 40 સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370…










