મ્યાનમારમાં હમાસ શૈલીમાં પેરાગ્લાઇડર હુમલો: ધાર્મિક ઉત્સવ પર બોમ્બ ફેંકાતા 24 ના મોત, 47 ઘાયલ

મધ્ય મ્યાનમારમાં એક ભયાનક હુમલામાં પેરાગ્લાઇડરમાંથી બોમ્બ ફેંકાતા 24 લોકોના મોત થયા છે અને 47 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો ઈઝરાયેલમાં હમાસના પેરાગ્લાઇડર હુમલાની શૈલી જવો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમા ભય અને અશાંતિનો માહોલ ફેલાઈ ગયો છે. થડિંગ્યુટ ઉત્સવ દરમિયાન હુમલો આ હુમલો ચાઉંગ ઓ શહેરમાં થયો હતો, જ્યાં લગભગ 100થી વધુ શ્રદ્ધાળુઓ બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા થડિંગ્યુટ ઉત્સવ માટે ભેગા થયા હતા. ઉત્સવ દરમિયાન કેટલાક લોકો સરકારી નીતિઓના વિરોધમાં મીણબત્તી પ્રગટાવીને શાંતિપૂર્ણ જાગરણ પણ કરી રહ્યા હતા. એ દરમિયાન, મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડરમાંથી બે બોમ્બ ફેંકવામાં આવ્યા, જેના પરિણામે ઘણાં લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા અને અનેક ઘાયલ થયા. પીપલ્સ ડિફેન્સ ફોર્સનો દાવો અને સાત મિનિટનો ત્રાસ પીડીએફ (PDF – People’s Defence…