‘જિન્નાહ હાઉસ’ ફરી કેમ આવ્યું ચર્ચામાં? 1500 કરોડની પ્રોપર્ટી માટે સરકારનો જાણો શું છે પ્લાન

ભારતના ભાગલાના દોષી પાકિસ્તાનના કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા દ્વારા મુંબઈના મલબાર હિલ્સ પર બનાવવામાં આવેલ ભવ્ય બંગલો ‘જિન્નાહ  હાઉસ’ હવે નવા દેખાવમાં જોવા મળશે. વિદેશ મંત્રાલયે તેનો ઉપયોગ ડિપ્લોમેટિક એન્ક્લેવ (વિદેશ મંત્રાલયના અધિકારીઓ માટે રહેઠાણ અને કાર્યસ્થળ) તરીકે કરવાની મંજૂરી આપી છે. હવે તેનું સમારકામ ટૂંક સમયમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે મુંબઈના ‘જિન્નાહ હાઉસ’નો ઉપયોગ દિલ્હીના હૈદરાબાદ હાઉસની જેમ કરવામાં આવશે. આ ઘરની હાલની કિંમત લગભગ 1500 કરોડ રૂપિયા છે. ‘જિન્નાહ હાઉસ’નું સાચું નામ સાઉથ કોર્ટ છે. ભાગલા પછી તે જિન્નાહ  હાઉસ તરીકે જાણીતું બન્યું. તે પહેલા ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ (ICCR) પાસે હતું. બાદમાં 5 ઓક્ટોબર, 2017 ના રોજ, મલબાર હિલના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને ‘જિન્નાહ…