જનોઈ બદલવાની તારીખ અંગે મૂંઝવણ દૂર: ઋગ્વેદી બ્રાહ્મણો 26મીએ, તૈતરીય શાખાના ભૂદેવો 28મીએ યજ્ઞોપવિત બદલશે
બળેવ અને રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાની તારીખ અને મુહૂર્તને લઈને વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. અલગ-અલગ વેદશાખા અને પરંપરા મુજબ જનોઈ બદલવાની તારીખ અલગ હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ અંગે જ્યોતિષાચાર્ય ડો. દિલીપભાઈ દવેએ સ્પષ્ટતા કરતાં કઈ શાખાના બ્રાહ્મણોએ કયા દિવસે જનોઈ બદલવી તે અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ ઋગ્વેદી બ્રાહ્મણોએ બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ શ્રવણ નક્ષત્રમાં યજ્ઞોપવિત બદલવાનું રહેશે. જ્યારે અન્ય વેદશાખાના ભૂદેવો માટે પૂર્ણિમાના સમયને ધ્યાનમાં રાખીને અલગ તારીખ નક્કી કરવામાં આવી છે. ઋગ્વેદી બ્રાહ્મણો 26 ઓગસ્ટે જનોઈ બદલશે ઋગ્વેદી બ્રાહ્મણો માટે 26 ઓગસ્ટ, બુધવારનો દિવસ જનોઈ બદલવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી…
મકરસંક્રાંતિ 2025: મકર સંક્રાંતિ પર કરો આ કામ, ખુલશે ભાગ્યના બંધ દરવાજા! જાણો જ્યોતિષ શું કહે
જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો હિન્દુ તહેવાર ઉજવવામાં આવે છે. 2025 માં, પવિત્ર દિવસ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દેશના તમામ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે. તેને ‘ખીચડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચોખા, અડદ અને તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે. મતલબ કે આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જવા લાગે છે.મકરસંક્રાંતિમાં દાનના મહત્વ અંગે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત ગાયત્રી શર્માએ જણાવ્યું કે, ‘આ વખતે 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. મકરસંક્રાંતિ ઉજવવાનું ખાસ કારણ એ છે કે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં જાય છે. સૂર્ય ઉત્તરાયણ તરફ આગળ વધવા લાગે છે. ખાસ કરીને…








