ધોલેરા SIRમાં બનશે 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ, નવી દિલ્હીમાં થયા MoU

નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાતે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ MoU કર્યા છે.આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ MoU ધોલેરા SIR ખાતે 250 મેગા વોટના હાઇ પર સ્કેલ, ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે. વન, પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા MoU દ્વારા L & T વ્યોમાં રૂ. 25 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે તેમજ સંભવત: 2028 સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. આ MoU ગુજરાતને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાના સહિયારા વિઝન તથા ગુજરાત IT/ITeS નીતિ (2022-27) સાથે…

ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’ના નવા યુગનો પ્રારંભ, આગામી સમયમાં સમગ્ર દેશમાં લાગુ થશે આ સિસ્ટમ

ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી એ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ કરારથી ફરિયાદોના નિવારણ…

આવતી કાલે વિશ્વ કેન્સર દિવસ, જાણો આ વર્ષની થીમ

દર વર્ષે 04 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-2025માં કેન્સરના અંદાજિત 14 લાખથી વધુ કેસ નોંધાયા હતા. દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન અને કરુણાસભર સારવાર મળવી આવશ્યક છે. છેલ્લા ચાર વર્ષમાં 30 વર્ષથી વધુ ઉમરના 3 કરોડથી વધુ…

પુતિન આજે આવશે ભારતની મુલાકાતે : પરમાણુ ઉર્જા સહયોગ અને મહત્વપૂર્ણ શિખર મંત્રીસ્તર કરારો પર હસ્તાક્ષર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે ભારત પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની શિખર બેઠક યોજાશે. પુતિનની મુલાકાત પહેલા, રશિયન મંત્રીમંડળે નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ભારત સાથે સહયોગ વધારવા માટેના મહત્વપૂર્ણ MoUને મંજૂરી આપી છે, જે શિખર મંત્રીસ્તર બેઠક દરમિયાન હસ્તાક્ષર માટે તૈયાર રહેશે. પ્રાથમિક મુદ્દાઓ પુતિનની ભારત મુલાકાત દરમિયાન આશા છે કે: – નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટેનો કરાર (MoU) પર હસ્તાક્ષર – નાના મોડ્યુલર રિએક્ટર (SMR) બનાવવામાં સહયોગ – સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવું – દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગનું રક્ષણ – S-400 મિસાઇલ સિસ્ટમ, સુખોઈ-30 વિમાન અપગ્રેડ અને બ્રહ્મોસના અદ્યતન સંસ્કરણ પર ચર્ચા પરમાણુ ઉર્જા અને નાગરિક સહયોગ – રશિયન પરમાણુ…

PM મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, ક્રાઉન પ્રિન્સ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે. પ્રધાનમંત્રી 22 અને 23 એપ્રિલે જેદ્દાહ શહેરમાં રહેશે. ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાને સાઉદી અરેબિયાની તેમની મુલાકાત વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જેદ્દાહ આવી રહ્યા છે. સદીઓથી, જેદ્દાહ ઉમરાહ અને હજ માટે આવતા યાત્રાળુઓ માટે એક બંદર રહ્યું છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ, પ્રધાનમંત્રી મોદી અને ક્રાઉન પ્રિન્સ, અહીં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરવાના છે. આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં MoU પર હસ્તાક્ષર અને વિનિમય કરવામાં આવશે. તાજેતરમાં જ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ PMની આ મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો માટે…

કતરના અમીરે ભારતમાં 83 હજાર કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત

આરબ દેશોના સંગઠન ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ (GCC) ના વધુ એક સભ્યએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ ભારતમાં ૧૦ બિલિયન ડોલર એટલે કે ૮૩ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ ટેકનોલોજી, માળખાગત સુવિધા અને ઉત્પાદનના ક્ષેત્રોમાં કરવામાં આવશે. કતારના અમીરની આ મુલાકાત બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા અને સાંસ્કૃતિક સહયોગ વધારવામાં મદદ કરશે. મંગળવારે શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર અને ઊર્જા સંબંધિત અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. -> વર્ષ 2030 સુધીમાં, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ભારતમાં પણ પોતાનું કાર્યાલય ખોલશે :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાની વચ્ચે વિસ્તૃત વાતચીત થઈ. આ દરમિયાન,…