વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ

ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ આગામી 48 કલાક દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. નવેમ્બરમાં પણ વરસાદી માહોલ હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 4 થી 8 નવેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોપ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવશે. 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હાલના વરસાદના આંકડા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 20 તાલુકામાં હળવા ઝાપટાં નોંધાયા છે. સૌથી વધુ અમિરગઢ (બનાસકાંઠા)માં 1.25 ઈંચ, સુઈગામમાં 21 મિ.મી, સુત્રાપાડામાં 13 મિ.મી, થરાદમાં 11 મિ.મી અને ધાનેરામાં 9 મિ.મી વરસાદ નોંધાયો છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in