આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…
ઓડિશામાં પૂરનો કહેર: 20 જિલ્લામાં આફત, 1.89 લાખથી વધુ લોકોનું સ્થળાંતર
આસામ બાદ હવે ઓડિશામાં પણ પૂરનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. રાજ્યમાં મહાનદી અને તેની મુખ્ય શાખા નદી કાઠજોડીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થતાં અનેક જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. પૂરના કારણે 20 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે 1.89 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ, ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. ઓડિશામાં મહાનદીમાં જળસ્તર વધતાં ચિંતા વધી ઓડિશામાં હાલ પૂરનું મુખ્ય કારણ મહાનદી અને તેની શાખા નદીઓમાં વધી રહેલો પાણીનો પ્રવાહ છે. મુંડલી અને નરાજ પાસે…
ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા
કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…
સુરતના અંબિકામાં મેઘ તાંડવ: 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા અનુસાર, 31 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદથી આ દરમિયાન સૌથી વધુ અસર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં જોવા મળી હતી, જ્યાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સતત વરસાદના કારણે રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદથી અંબિકામાં સ્થિતિ ગંભીર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું હતું. થોડા કલાકોમાં જ 18…
ભારે વરસાદ અને આકાશી વીજળીથી કેવી રીતે બચશો?, નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ
ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આકાશી વીજળીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની જાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતોએ નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સમયસર ચેતવણી અને યોગ્ય સાવચેતી અપનાવવામાં આવે તો મોટાભાગની દુર્ઘટનાઓને ટાળી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આકાશી વીજળી અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. ભારત સરકારની સત્તાવાર Damini App મોબાઇલમાં ડાઉનલોડ કરીને વીજળી અંગે અગાઉથી ચેતવણી મેળવી શકાય છે. ઉપરાંત કોઈપણ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ સેવા અને 1070 અથવા 1077 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વરસાદમાં ઘરની અંદર હોવ…
વરસાદી સંકટને પગલે ગુજરાત હાઈ એલર્ટ: અમદાવાદમાં શાળાઓ બંધ, આર્મી-નેવી-એરફોર્સ સ્ટેન્ડબાય
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરે સમગ્ર તંત્રને 24 કલાક હાઈ એલર્ટ પર રહેવા તેમજ તમામ ઝોનમાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી છે. વરસાદની આગાહીને પગલે નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ વરસાદને લઇ AMC દ્વારા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આગામી બે દિવસ સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અને…
ગુજરાતમાં વરસાદનો કહેર: ડીસાથી ધોળકા સુધી જળબંબાકાર સ્થિતિ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બનાસકાંઠાના ડીસા, આણંદ જિલ્લાના બોરસદ, અમદાવાદ શહેર તેમજ ધોળકા તાલુકાના વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ સ્થાનિક તંત્ર, પોલીસ અને રાહત ટીમો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ડીસામાં રસ્તાઓ બન્યા નદી, ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી બનાસકાંઠાના ડીસા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ટ્રીઝમેન્ટ પ્લાન્ટથી જલારામ મંદિર સર્કલ સુધીના વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક…















