‘ગોબરધન’ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી, 23,731 કરોડના ખર્ચે દેશભરમાં શરૂ થશે 700 સુધીના બાયોગેસ પ્લાન્ટ

દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 23,731 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) માટેની રાષ્ટ્રીય એકીકૃત ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી છે. સરકારનો હેતુ આગામી દાયકામાં દેશમાં CBGનું ઉત્પાદન લગભગ દસ ગણું વધારવાનો અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભરવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 ઓગસ્ટે વિશ્વ જૈવ-ઈંધણ દિવસના અવસરે આ યોજનાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી શકે છે. આ યોજના હેઠળ દેશભરમાં મોટા પાયે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. શું છે ‘ગોબરધન’ યોજના? ‘ગોબરધન’ એટલે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન (Galvanizing Organic Bio-Agro Resources Dhan) યોજના. તેની શરૂઆત વર્ષ 2018માં…

મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર…. પૂર્વ RAW ચીફને સોંપી મહત્વની જવાબદારી

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં મોટા પાયે ફેરફાર કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં હવે સાત સભ્યો હશે, જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થશે. બોર્ડમાં લશ્કરી પૃષ્ઠભૂમિના ત્રણ નિવૃત્ત અધિકારીઓ, બે નિવૃત્ત ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ અને એક નિવૃત્ત ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારીનો સમાવેશ થાય છે. આ માળખું સંરક્ષણ, ગુપ્તચર અને રાજદ્વારી ક્ષેત્રોમાં સંતુલિત અભિગમ સુનિશ્ચિત કરશે. આલોક જોશીની નિમણૂક કેમ મહત્વપૂર્ણ છે? આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં…

ભારતની યુદ્ધ ક્ષમતામાં થશે વધારો, મોદી સરકાર કરશે 1.5 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ સોદા

ભારત સરકાર આગામી સમયમાં પોતાના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ઘણા મોટા કરાર કરવા જઈ રહી છે. મોદી સરકારે ૩૧ માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલાં ૪ મુખ્ય સંરક્ષણ કરારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી છે. માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય કાફલામાં ફાઇટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર અને તોપોનો સમાવેશ કરવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુના સોદા કરવામાં આવશે. આનાથી ભારતના સશસ્ત્ર દળોની ફાયરપાવર અને લડાઇ ક્ષમતામાં વધારો થશે. -> ભારત ફ્રાન્સ સાથે આ મોટો સોદો કરશે :- ભારત ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે લગભગ 63,000 કરોડ રૂપિયાના 26 રાફેલ-મરીન ફાઈટર જેટના સીધા સંપાદન માટે કરાર કરવા જઈ રહ્યું છે. તેમને વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ડેક પર તૈનાત કરવામાં આવશે.આ સોદામાં નૌકાદળ માટે 22 સિંગલ-સીટ મેરીટાઇમ…