સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામને લઈ રાજકારણ શરૂ ! જાણો શું કહ્યું કોંગ્રેસે
‘ઓપરેશન સિંદૂર’ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામના સમાવેશને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરનો રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસમાં રહેવું અને કોંગ્રેસનું રહેવું એમાં ઘણો ફરક છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમણે પ્રતિનિધિમંડળ માટે થરૂરનું નામ પ્રસ્તાવિત કર્યું ન હતું પરંતુ સરકારે તેમનો સમાવેશ કર્યો હતો, ત્યારબાદ આ નિવેદન આવ્યું છે. કોંગ્રેસે તેના બદલે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સુપ્રિયા બારડોલ અને સૈયદ નાસિર હુસૈનના નામ સૂચવ્યા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરી. જયરામ રમેશે પોસ્ટમાં લખ્યું – શુક્રવારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ…







