Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. કડીમાં 2 વિદ્યાર્થિની પરીક્ષા આપ્યા બાદ ગુમ થઈ હતી.ત્યાર બાદ પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવામાં આવી છે. આ બંને વિદ્યાર્થિની સગીરવયની હોવાનું સામે આવ્યું છે. જેમાં બે અલગ-અલગ જગ્યાએથી સગીરા ગુમ થઈ છે. પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ઘરે પરત ફરી ન હતી. અને તેના કારણે પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો :- પાટણમાં વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની ટીમે જપ્ત કર્યો સામાન વિદ્યાર્થિનીઓ ગુમ થતા પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં બે સગીરાનું અપહરણ થયું છે. જેમાં 24 માર્ચે પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ગુમ ગઈ હતી. સગીરા ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને…

Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા

સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના બાદ પૃથ્વી પરત ફર્યા હતા. ત્યારે આ પ્રસંગે સુનિતા વિલિયસ્મના વતન મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા છે. આ પ્રસંગે ઝુલાસણ ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં તેમના પરિવારજનો અને ગ્રામજનોએ દોલા માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં સુનિતા વિલિયમ્સનો ફોટો મુકીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળની શરૂઆત, ઉદ્યોગ સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા આ ઉપરાંત ઝુલાસણ ગામમાં આજે અખંડ જ્યોત સાથે યાત્રા નીકળનાર છે. અને સુનિતા વિલિયમ્સ ગામની મુલાકાત લેશે તેવી પણ પરિજનોએ આશા વ્યક્ત કરી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ…