GST મુક્તિ બાદ હેલ્થ ઇન્શ્યોરન્સની માંગમાં 38%નો વધારો, જાણો શું કહે છે ડેટા
આરોગ્ય વીમા યોજનાઓ પર GST દૂર કરવાના પગલાથી માંગમાં તીવ્ર વધારો થયો છે. પોલિસીબજારના અહેવાલ મુજબ, ઉચ્ચ આરોગ્ય વીમા કવરેજની માંગમાં એકંદરે 38 ટકાનો વધારો થયો છે. તેમાં જણાવાયું છે કે લોકો તબીબી કટોકટી સામે નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે. વીમા કવરેજની સાથે, વધારાના આરોગ્ય લાભોની માંગ પણ વધી છે. કેન્દ્ર સરકારે GST સુધારાના ભાગ રૂપે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST મુક્તિની જાહેરાત કરી હતી. આ નવો નિયમ 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવ્યો છે. આ મુક્તિનો હેતુ ગ્રાહકો માટે આરોગ્ય અને જીવન વીમા પૉલિસીઓને વધુ સસ્તું બનાવવાનો છે, કારણ કે તેમને હવે વીમા પ્રીમિયમ પર GST ચૂકવવો પડશે નહીં. સરેરાશ વીમા કવરમાં થયો વધારો અહેવાલ મુજબ, સરેરાશ આરોગ્ય વીમા કવર ₹1.3 મિલિયનથી…
gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે :- જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે…








