ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. સુરક્ષા પડકાર અને ખુલ્લા દાવા-આક્ષેપ: MEAના જણાવ્યા અનુસાર, ઢાકામાં ભારતીય મિશન આસપાસ કેટલાક કટ્ટરપંથી તત્વો સુરક્ષાના પડકાર ઊભા કરી રહ્યા છે. બાંગ્લાદેશે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન મોકલ્યું હતું અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં તોડફોડ અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી હતી. શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં આ હત્યાની પાછળ ભારતીય હસ્તક્ષેપનો દાવો કર્યો હતો, જ્યારે મેમનસિંહમાં હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને ભીડે માર માર્યા બાદ મોતને ઘેરી દીધું. આ ઘટનાથી…

મુર્શિદાબાદ હિંસા પર બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતે વાંધો વ્યક્ત કર્યો, વિદેશ મંત્રાલયે કહ્યું – અસ્વીકાર્ય

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને અયોગ્ય ગણાવ્યું અને બાંગ્લાદેશને તેના દેશમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાની સલાહ આપી.   વિદેશ મંત્રાલયે કહ્યું – “અયોગ્ય સરખામણી કરવાનો પ્રયાસ”:- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને તે ભારતમાં લઘુમતીઓની સ્થિતિની તેમના દેશની પરિસ્થિતિ સાથે તુલના કરવાનો નિષ્ફળ પ્રયાસ છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ ગુના કરનારા લોકો ઘણીવાર કોઈ સજા વિના મુક્તપણે ફરે છે.   ભારતની સલાહ – “તમારા લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરો”:- પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પર ટિપ્પણી કરવાને બદલે, બાંગ્લાદેશે તેના દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે…

‘વાતચીત ચાલુ છે, આશા છે સમજુતી થશે’ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરીફની જાહેરાતને લઇ MEAની પ્રતિક્રિયા

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. MEA એ શુક્રવારે (21 માર્ચ) જણાવ્યું હતું કે બંને દેશો ટેરિફ અને બજાર ઍક્સેસ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. આ પણ વાંચો :- શું શશી થરૂર ભાજપમાં જોડાશે ? આ એક સેલ્ફીએ ઘણા દિવસથી ચાલતી ચર્ચાને વેગ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતા મહિને ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવાની યોજના બનાવ્યાના બે દિવસ બાદ વિદેશ મંત્રાલય તરફથી આ પ્રતિક્રિયા આવી છે. અમેરિકાના આ પગલાથી ભારતીય નિકાસ પર અસર પડી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બંને દેશો વાતચીત કરી રહ્યા છે અને આશા છે…