શેરબજારમાં મંગળવારે હલચલની શક્યતા: અદાણી એનર્જી, Paytm સહિતના સ્ટોક્સ રહેશે રાડાર પર
સોમવારે શેરબજાર બંધ થયા બાદ અનેક મોટી કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો અને બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. આ કારણે 23 ડિસેમ્બર, મંગળવારે બજાર ખુલતાની સાથે જ કેટલાક સ્ટોક્સમાં તેજી અથવા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ શેરો પર ખાસ નજર રાખવી જરૂરી બની શકે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે માહિતી આપી છે કે તેની પેટાકંપની દ્વારા ‘ATSOL ગ્લોબલ IFSC લિમિટેડ’ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોમવારે કંપનીનો શેર 2.18 ટકાના વધારા સાથે રૂ. 1,009.80 પર બંધ થયો હતો. કંપનીના વિસ્તરણના પગલાંને કારણે રોકાણકારોમાં સકારાત્મક ભાવના જોવા મળી રહી છે. ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની Paytm એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ ઇન્ડોનેશિયા અને લક્ઝમબર્ગમાં બે નવી પેટાકંપનીઓ…







