ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા
ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…
ભૂમધ્ય સમુદ્ર બન્યો ‘મોતનું સરનામું’: લીબિયાના કિનારે હોડી પલટી, 53 ના જીવન સમુદ્રમાં દફન
યુરોપમાં સારી જીવનની શોધમાં નીકળેલી હોડીમાં 53 પરપ્રાંતિય શ્રમિકોનું ભૂમધ્ય સમુદ્રમાં કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર આફ્રિકા દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ પહોંચવાના પ્રયાસમાં નીકળેલી હોડી તોફાની મોજાઓ સામે હાર માની ગઈ અને પલટી ગઈ, જેના કારણે ડઝનો લોકોના સપનાઓ મોજામાં વિખરી ગયા. માનવ તસ્કરીનો ભયાનક માહોલ પ્રાપ્ત અહેવાલો મુજબ, માનવ તસ્કરોએ ક્ષમતા કરતા વધુ લોકોને નાનકડી રબર બોટમાં ભરી, સલામતી સાધનો કે લાઈફ જેકેટ વગર દરિયામાં છોડ્યાં હતા. મોજાઓના અથડામણ અથવા એન્જિન ફેઈલ થવાને કારણે બોટ પલટી ગઈ. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો શામેલ છે, જે ગરીબી અને અંધાધૂંધી જીવનથી બચવા યુરોપમાં આશરો મેળવવા નીકળ્યા હતા. “તરતા કબ્રસ્તાન” સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM)ના મતે, ભૂમધ્ય સમુદ્રનો આ પટ્ટો હવે ‘તરતા કબ્રસ્તાન’ તરીકે ઓળખાય છે.…








