EPF વ્યાજ દર પર મોટું સરકારનું એલાન, 8.25% વ્યાજ દર જાળવશે સરકાર
Employees’ Provident Fund Organisation (EPFO) એ નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દર જાળવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, આ ત્રીજા વર્ષે પણ EPF ખાતાધારકોને એ જ વ્યાજ દરે ફાયદો થશે. EPFના 7 કરોડ ખાતાધારકોને સારા સમાચાર આ નિર્ણય EPF ખાતાધારકો માટે સારા સમાચાર છે, કેમ કે આ વર્ષે વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. EPF વ્યાજ કેવી રીતે મળે છે? EPF પર વ્યાજ દર મહિને ખાતામાં જમા થતી રકમ પર ગણવામાં આવે છે, પરંતુ આખા વર્ષનું વ્યાજ નાણાકીય વર્ષ પૂરું થતા એકસાથે જમા…
10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવ્યો, ગિગ વર્કર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારનો મોટો નિર્ણય
દેશભરમાં ગિગ વર્કર્સની હડતાળ બાદ, સરકારી હસ્તક્ષેપને ધ્યાનમાં રાખીને ઇ-કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓ હવે 10 મિનિટમાં ડિલિવરીના દાવાને દૂર કરશે. આ પગલાં ડિલિવરી બોય્ઝ પર બિનજરૂરી દબાણ અને સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. કેન્દ્રિય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની સૂચના બાદ, ક્વિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કિટે પોતાના તમામ બ્રાન્ડ્સ પર 10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવી દીધો છે. કંપની ટૂંક સમયમાં પોતાના પ્રચાર અને જાહેરાતમાંથી પણ આ દાવાને દૂર કરશે. આ પગલાં અન્ય કંપનીઓ જેમ કે ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો પર પણ લાગુ કરવામાં આવશે. મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીના અધિકારીઓને સલાહ આપી છે કે ડિલિવરી બોય્ઝની સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે અને ટૂંકા સમયમાં ડિલિવરીનો દાવો કર્મચારીઓ પર દબાણ લાવે છે. ગિગ વર્કર્સના સંગઠનોએ લાંબા સમયથી…
દિવાળીએ EPFO તરફથી ભેટ! હવે PFમાંથી 100% ઉપાડ શક્ય, 7 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર
દિવાળીના તહેવાર પહેલા EPFO ખાતાધારકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોના કારણે હવે PF ખાતાધારકો માટે પોતાની બચતનું મોટું અંશ ઉપાડવું વધુ સરળ બનશે. EPFOના નવા નિર્ણયોથી કયા ફેરફાર થયા? સોમવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાઈ, જેમાં નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા: હવે PFમાંથી 100% સુધી આંશિક ઉપાડ શક્ય અગાઉ PFમાંથી આંશિક ઉપાડ માટે 13 અલગ-અલગ જટિલ જોગવાઈઓ હતી, જેને હવે માત્ર 3 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે: – આવશ્યક જરૂરિયાતો: જેમ કે શિક્ષણ, લગ્ન, માંદગી વગેરે – રહેઠાણ સંબંધિત જરૂરિયાતો – ખાસ પરિસ્થિતિઓ: જેમ કે કુદરતી આફત, રોગચાળો, લોકડાઉન વગેરે – ખાસ પરિસ્થિતિઓ માટે…
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…….
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે આવ્યાં છે. જ્યાંઅમેરિકા દ્વારા નાગરિકોને ડિપોર્ટ કરવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક દેશ પોતાની સ્ટ્રેટેજી અને કાયદા મુજબ ડિપોર્ટેશનની કાર્યવાહી કરે છે. કેન્દ્રીય મંત્રની સ્પષ્ટતા :- સમગ્ર ઘટનાને લઇ અને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવતા ભારતીયોને લઇ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોઇ પણ દેશ ગેરકાયદેસ રીતે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરે છે. આપણે પણ કરીએ છીએ જે પોતાનો સોવરિય રાઇટ છે. આ મુદ્દે કોઇ દેશ વિશેષ ટિપ્પણી ન કરી શકે. દરેક દેશ પોતાની નિયમો મુજબ કાર્યવાહી કરે છે. ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા :- નોંધનીય છે કે, અમેરિકાએ ગેરકાયદે વસતા ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા હતા. અમેરિકાએ ત્રણ તબક્કામાં…










