મણિપુરને મળશે નવા મુખ્યમંત્રી, BJP અહીં બે નાયબ મુખ્યમંત્રી કરશે નિયુક્ત
એક વર્ષ પછી, ભાજપ મણિપુરમાં નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. વરિષ્ઠ નેતા યુમનમ ખેમચંદ સિંહને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ નવા મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. નેમચા કિપગેનને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવશે . આ મણિપુરમાં મેઇતેઈ સમુદાય ઉપરાંત કુકી સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા હતા. આના કારણે તેમનું પદ ગુમાવવું પડ્યું અને વધુ સંઘર્ષ ટાળવા માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ખેમચંદ સિંહ મેઈતેઈ સમુદાયના છે. કિપગેન પણ કુકી નેતા છે. આ પહેલને રાજ્યમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી…
મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો
મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની નજીક આવેલા સંવેદનશીલ વિસ્તારમાં થયો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા અને સ્થળની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નિયંત્રિત અને સાવધાનીપૂર્વક જવાબી કાર્યવાહી કરી હતી. હુમલા બાદ આસપાસના વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તંગનોપાલ જિલ્લો મ્યાનમારની નજીક હોવાને કારણે અહીં આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓની શક્યતા વધુ રહેતી હોય છે. હાલ સુધી હુમલાખોરોના જૂથની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સુરક્ષા એજન્સીઓ વિસ્તારની સ્થિતિ પર નજર રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…
મણિપુરમાં મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદીઓ ઠાર માર્યા
બુધવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે મ્યાનમાર સરહદ પર ન્યૂ સમતાલ ગામ નજીક શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની હિલચાલ અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી શેર કરતા, ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે જણાવ્યું હતું કે 14 મેના રોજ, આસામ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળના ખેંગજોય તહસીલના ન્યૂ સમતલ ગામમાં આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે ઘણીવાર ઉગ્રવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે. સેનાના જણાવ્યા અનુસાર, “ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ…
નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચવાની ઔપચારિક જાહેરાત કરતો પત્ર જારી કર્યો છે. જેડીયુનું 2022 થી ભાજપ સાથે જોડાણ હતું, પરંતુ હવે તે શાસક સરકારથી દૂર થઈ ગયું છે. 2022 માં JDUના છ માંથી પાંચ ધારાસભ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો, જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ હતી. હવે JDUએ રાજ્યપાલને ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચવાનો ઔપચારિક પત્ર સુપરત કર્યો છે. -> સરકારની સ્થિરતા પર કોઈ અસર થતી નથી :- JDU એ ટેકો પાછો ખેંચી લીધો હોવા છતાં, મુખ્યમંત્રી બિરેન સિંહના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની સ્થિરતા પર કોઈ…










