ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યેલો એલર્ટ, બંદરો પર લગાવાયું નંબર 3નું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. માહિતી મુજબ, મહુવા તાલુકામાં હોસ્પિટલ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના જેસર, બીલા, ઉગલવાણ અને કાત્રોડી ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાક પલળી જવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. તે ઉપરાંત, ઘોઘાના દરિયા વિસ્તારમાં કરંટ (Sea Current) જોવા મળતાં તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો વિગત
દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે શક્તિ વાવાઝોડું કમજોર પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જમ્યો છે. વલસાડ, તાપી, ડાંગ અને સુરત સહિતના વિસ્તારોમાં 7 અને 8 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં સવારે 2થી 6 દરમિયાન એક ઈંચથી વધુ અને વાપીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને નેશનલ હાઈવે 56 પર ધીમીધારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેતી અને ખેડૂતો પર સીધી અસર ચોટીલા, ઉના અને મહુવા વિસ્તારમાં સતત ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. અત્યારે ઊભા પાક જેમ કે ડાંગર, શાકભાજી અને અન્ય વાવેતરને નુકસાન પહોંચવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. શરદ પૂર્ણિમાની ઉજવણીમાં ખલેલ મહુવામાં શરદ પૂર્ણિમાની રાત્રે જોરદાર વરસાદ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક બજારો અને ઘરોમાં ઉજવણીને અસર થઈ. ઉનામાં ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ ભીની થયા હતા અને લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી. ચોટીલામાં તો હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયાં હતાં. વાતાવરણમાં પલટો: દરિયાકાંઠે એલર્ટ, સામાન્ય જીવન અસરગ્રસ્ત હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારોમાં DC-1 એલર્ટ જારી કર્યું છે અને આગામી 3-4 દિવસ વરસાદ ચાલુ રહી શકે છે. દિવાળીની તૈયારી કરતા પરિવારો તડકાની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ રેનકોટ પહેરીને બહાર દેખાઈ રહ્યાં છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હાલ હળવા વરસાદની આગાહી છે, જ્યારે ચોમાસું આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી વિદાય લઈ શકે છે. હવામાન વિભાગની સૂચના દક્ષિણ ગુજરાતના નાગરિકોને અને ખાસ કરીને ખેડૂતોને આગામી દિવસોમાં વધુ વરસાદ માટે સતર્ક રહેવા જણાવાયું છે. વરસાદી દિવસોમાં જળભરાવથી બચવા અને યાત્રા દરમિયાન સાવચેતી રાખવા હવામાન વિભાગની સૂચના છે.








