BMC 2026: મહાયુતિ ગઠબંધનો ભવ્ય વિજય, 118 બેઠકો જીતી બહુમતી પાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 227 બેઠકોમાંથી ગઠબંધે 118 બેઠકો જીતીને બહુમતી પાર કરી, અને શહેરની આગેવાની મેળવવા માટે જરૂરી 114 બેઠકો કરતાં વધુ સીટો મેળવી. બેઠકોનું વિભાજન: ભાજપ: 89 બેઠકો શિવસેના (એકનાથ શિન્દે ગ્રુપ): 29 બેઠકો શિવસેના (ઉદ્ધવ ભાઈ UBT) + MNS: 69 બેઠકો મહારાષ્ટ્રની બીજી મહાનગરપાલિકાઓમાં પણ મહાયુતિને સારા પરિણામો મળ્યા છે, જેમાં પુણે, નાગપુર અને નાશિકનો સમાવેશ થાય છે. BMC ની આ જીત રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ શહેરને રાજકીય દિશા માટે મોટા પાયે પ્રભાવશાળી ગણવામાં આવે છે. 2026ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “લોકોએ અમને આગામી પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. તેમનો વિશ્વાસ અને પ્રેમ અમારી સૌથી મોટી તાકાત છે.” તેમણે કહ્યું, “અમે ક્યારેય જાતિ, ધર્મ કે ભાષાના આધારે રાજકારણ રમ્યું નથી. અમે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે વિકાસને આગળ ધપાવ્યો અને કોઈપણ રીતે ભેદભાવ કર્યો નહીં.” Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મહાયુતિમાં નારાજગીનો દોર, પહેલા શિંદે પછી અજીત પવાર હવે ભાજપના નેતા જ નારાજ
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાથી અત્યાર સુધી, સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે મહાગઠબંધનમાં બધું બરાબર નથી. સરકારની રચના થઈ ત્યારથી, બંને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કેટલાક નિર્ણયોથી નાખુશ જોવા મળ્યા છે. આ વખતે મામલો એકનાથ શિંદેની શિવસેના સાથે સંબંધિત છે. મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે જિલ્લાઓના સંરક્ષક મંત્રીઓની યાદી બહાર પાડી હતી, જે હેઠળ કેબિનેટ મંત્રીઓને જિલ્લાઓના સંરક્ષક મંત્રી બનાવવામાં આવ્યા હતા. એકનાથ શિંદેની શિવસેનાએ પોતાના માટે રાયગઢ અને નાસિક જિલ્લાઓની માંગણી કરી હતી, પરંતુ સીએમ ફડણવીસે આ માંગણીને અવગણી હતી, જેના કારણે એકનાથ શિંદે નારાજ હોવાનું કહેવાય છે. -> એકનાથ શિંદેની નારાજગી બાદ સ્ટે લાદવામાં આવ્યો :- સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાયગઢ જિલ્લો અજિત પવાર જૂથના અદિતિ તટકરેને આપ્યો. જ્યારે, નાશિક જિલ્લાની જવાબદારી ભાજપના ગિરીશ મહાજનને સોંપવામાં આવી હતી. શિવસેનાએ નારાજગી વ્યક્ત કર્યા બાદ, સરકારે બંને જિલ્લાઓના વાલી પદ પર રોક લગાવી દીધી . -> NCP અને BJPના નેતાઓ સ્ટે ઓર્ડરથી નારાજ છે :- હવે અજિત પવારની NCP અને ખુદ ભાજપના નેતાઓ જ આ સ્ટેથી નારાજ છે. રાયગઢ જિલ્લામાં NCP અને શિવસેના વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. શિવસેનાએ રાયગઢના વાલી મંત્રી પદ પર પહેલાથી જ પોતાનો દાવો રજૂ કરી દીધો છે. તે પછી પણ, જ્યારે આ પદ NCPને આપવામાં આવ્યું ત્યારે એકનાથ શિંદે ગુસ્સે થયા હતા. -> અગાઉ અજિત પવારે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી :- નોંધનીય છે કે અગાઉ NCP વડા અજિત પવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક નિર્ણય પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ એનસીપીના બે કેબિનેટ મંત્રીઓના નિર્ણયો રદ કર્યા હતા, જેના કારણે એનસીપીના વડાને દુઃખ થયું હતું. મુખ્યમંત્રીએ તબીબી શિક્ષણ વિભાગના મંત્રી હસન મુશ્રીફ અને સહકાર મંત્રી બાબાસાહેબ પાટીલના નિર્ણય પર કાર્યવાહી કરી હતી. આ અંગે અજિત પવારે કહ્યું હતું કે જો તેઓ ઇચ્છે છે કે મહાયુતિમાં બધા આગળ વધે, તો કોઈપણ નિર્ણય લેતા પહેલા ચર્ચા થવી જોઈએ.








