ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીં
ગુજરાતમાં હાલ ચોમાસાની સિસ્ટમો સક્રિય હોવા છતાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી શક્યતા દેખાઈ રહી નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રિજિયનમાં વરસાદી ગતિવિધિ પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર એરિયા અને મોન્સૂન ટ્રફ જેવી વિવિધ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. જોકે, આ સિસ્ટમોની સ્થિતિ એવી નથી કે જેના કારણે ગુજરાતમાં વ્યાપક અથવા ભારે વરસાદ થઈ શકે. તેથી આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ…
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રનું તાજું અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રનું ડિપ્રેશન હાલમાં ગોવાના પણજીથી લગભગ 360 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ ઉત્તરપૂર્વ દિશામાં પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ હવામાન વિભાગે દરિયાકાંઠાના બંદરો પર ચેતવણી જાહેર કરી છે. પોરબંદર અને ઓખા બંદર પર નંબર 3 ભય સૂચક સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર…
દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી
ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા રહે છે અને ચોમાસા બાદ પણ એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. દિવાળીના આસપાસ વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે 17 ઓક્ટોબરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણને સીધી અસર કરશે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ, દિવાળી દરમિયાન વરસાદ? અગાઉ ચોમાસુ વિદાય લઈ ચૂક્યું હોવા છતાં અંબાલાલ પટેલે આગાહી કરી…









