બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રનું તાજું અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રનું ડિપ્રેશન હાલમાં ગોવાના પણજીથી લગભગ 360 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ ઉત્તરપૂર્વ દિશામાં પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ હવામાન વિભાગે દરિયાકાંઠાના બંદરો પર ચેતવણી જાહેર કરી છે. પોરબંદર અને ઓખા બંદર પર નંબર 3 ભય સૂચક સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર અને સલાયા બંદરો પર નંબર 1 ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદ અને પવનની આગાહી હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક સમયે 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીની તીવ્રતા જોવા મળી શકે છે. IMD નો તાજો અહેવાલ IMD અનુસાર,“દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન આજે (24 ઓક્ટોબર, સવારે 5:30 કલાકે) ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે અને હવે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધવાની શક્યતા છે.” માછીમારોને ચેતવણી હવામાન વિભાગે તમામ માછીમારોને અગાઉથી દરિયામાં ન જવાની સલાહ આપી છે અને હાલ દરિયાઈ પ્રવૃત્તિઓને સ્થગિત રાખવા જણાવ્યું છે. સ્થાનિક પ્રશાસનને પણ તટ વિસ્તારોમાં તાત્કાલિક ચેતવણી સિસ્ટમ સક્રિય રાખવા માટે સૂચના અપાઈ છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે હવામાન તંત્રો સક્રિય થતા ગુજરાત સહિત પશ્ચિમ કાંઠે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અધિકારીઓએ લોકો અને માછીમારોને સતર્ક રહેવા અનુરોધ કર્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી
ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા રહે છે અને ચોમાસા બાદ પણ એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. દિવાળીના આસપાસ વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે 17 ઓક્ટોબરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણને સીધી અસર કરશે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ, દિવાળી દરમિયાન વરસાદ? અગાઉ ચોમાસુ વિદાય લઈ ચૂક્યું હોવા છતાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ 18 ઓક્ટોબરથી સક્રિય થવાની છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં 30 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે-સાથે કેટલાંક વિસ્તારોમાં માવઠું પણ પડી શકે છે. ખેડૂતોએ રાખવો ચેતવણીનો અવાજ નવરાત્રી દરમિયાન પડેલા અણધાર્યા વરસાદથી મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું હતું. હવે દિવાળીના આસપાસ માવઠા પડે તો તે શિયાળાની વાવણી અને પાક માટે લાભદાયી પણ સાબિત થઈ શકે છે. પરંતુ જો વરસાદ અતિ થાય તો નુકસાનની પણ શક્યતા છે. આગામી વરસાદી SYSTEMS નું સમયપત્રક તારીખ હવામાન સ્થિતિ 13 ઓક્ટોબર વાદળછાયું વાતાવરણ શરૂ 17 ઓક્ટોબર દરિયા કાંઠે પવન અને વાદળો 18–20 ઓક્ટોબર બંગાળમાં લો પ્રેશર; માવઠાની શરૂઆત 30 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ, હળવો વરસાદ 7 નવેમ્બર દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદ; ગુજરાત પર અસર 9–11 નવેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ફરી માવઠાની શક્યતા 16–18 નવેમ્બર પછી વાવાઝોડાની શક્યતા, સિસ્ટમ મજબૂત બનશે વાદળછાયું દિવાળી અંબાલાલ પટેલે જણાવ્યું કે જો દિવાળીની આસપાસ વાદળો દેખાય, તો તેને આવતા વર્ષે સારા વરસાદ અને સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે. એટલે કે વાદળછાયું દિવાળી હવામાન દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. નવેમ્બરથી ડિસેમ્બર: વાવાઝોડાનું ભય? અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બર મધ્યથી ડિસેમ્બર આરંભ સુધી, બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમના કારણે ભારતના પૂર્વ કાંઠે અને ગુજરાતના હવામાનમાં ભારે પલટો આવી શકે છે. જો સિસ્ટમ મજબૂત બનશે તો વાવાઝોડું આવે તેવી પણ શકયતા છે. સચેત રહો, મોસમ પર નજર રાખો ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય જનતાએ આગામી 30 દિવસ માટે મોસમની ગતિવિધિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. દિવાળીના તહેવારના સમયગાળામાં હવામાન બદલાશે એવું સ્પષ્ટ છે પણ કેવી રીતે અને કેટલું અસરકારક, એ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.








