દિલ્હી બાદ મેસ્સી આવી શકે છે ગુજરાત, લેશે વંતારાની મુલાકાત

લિયોનેલ મેસ્સીનો GOAT ભારત પ્રવાસ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. જોકે, સૂત્રો સૂચવે છે કે તેઓ દિલ્હી પછી બીજા રાજ્યની મુલાકાત લઈ શકે છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર ભારતમાં બીજા એક દિવસ માટે રહેશે. મેસ્સી તેમના ભારત પ્રવાસના ત્રીજા દિવસે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક અગ્રણી વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. મેસ્સીએ 15 ડિસેમ્બર, સોમવારના રોજ, તેમના GOAT ઇન્ડિયા ટૂરના છેલ્લા દિવસે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાથી ફૂટબોલ સ્ટાર લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, હવે તે ભારતમાં વધુ એક દિવસ રોકાશે અને સુઆરેઝ સાથે ગુજરાતના વંતારાની યાત્રા કરશે. અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ વંતારામાં રહેશે અને ત્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીને…