PMMLએ જવાહરલાલ નહેરુના પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત માંગ્યા
વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવાની ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો 2008માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી અસલ પત્ર પરત લેવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી છે.. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ પીએમએમએલએ સોનિયા ગાંધીને પત્ર પરત કરવાની વિનંતી કરી હતી. 1971માં પીએમએમએલને પત્રો સોંપવામાં આવ્યા હતા જવાહરલાલ નેહરુએ લખેલા આ પત્રોને ઐતિહાસિક માનવામાં આવે છે. આને 1971માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને સોંપવામાં આવ્યા હતા. જો કે, 2008માં, તેમને 51 બોક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા…







