ટ્રમ્પનું નિવેદન: ઈરાન શરત વગર સરેન્ડર કરે તો જ સમજૂતી, નવી લીડરશિપ અને “મેક ઈરાન ગ્રેટ અગેઇન”
અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો સાતમો દિવસ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે કોઈપણ સમજૂતી ફક્ત ત્યારે જ શક્ય છે જો ઈરાન શરત વગર સરેન્ડર કરે. તેમણે કહ્યું કે આ પછી ઈરાનમાં એક નવું અને સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. શરણાગતિ વગર કોઈ કરાર નહીં ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાન કોઈ પણ શરત વગર શરણાગતિ સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેની સાથે કોઈ સમજૂતી નહીં થાય. તેમણે ઉમેર્યું કે શરણાગતિ સ્વીકાર્યા પછી ઈરાનમાં વધુ સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. ઈરાન માટે અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાની યોજના ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા પોતાના સાથી દેશો સાથે મળીને ઈરાનની આર્થિક શક્તિને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરશે. તેઓએ પોતાના સંદેશમાં “મેક…
લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત
લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે પ્રદેશમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે દાવો કર્યો છે કે બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મહત્વપૂર્ણ કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૈન્યના જણાવ્યા મુજબ, આ સેન્ટરોનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા અને અન્ય સશસ્ત્ર ગતિવિધિઓના આયોજન માટે થતો હતો. નવેમ્બર 2024ના યુદ્ધવિરામ બાદ આ સૌથી ઘાતક હુમલો ગણાઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હુસૈન મોહમ્મદ યાઘીનો સમાવેશ થાય છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં…
લેબનોનમાં શરણાર્થી શિબિરમાં ઇઝરાયલનો ઘાતક હવાઈ હુમલો, 11નાં મોત
દક્ષિણ લેબનોનના આઈન અલ-હિલવેહ શરણાર્થી શિબિર પર મંગળવારે ઇઝરાયલી હવાઈ હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકો ઘાયલ થયા. ગયા વર્ષે ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધમાં થયેલા યુદ્ધવિરામ પછી લેબનોનમાં આ સૌથી ઘાતક હુમલો ગણવામાં આવી રહ્યો છે. રાજ્ય મીડિયા અનુસાર, એક ડ્રોન સિડોનની બહાર આવેલી મસ્જિદના પાર્કિંગમાં ઊભેલી કારને નિશાન બનાવી ટક્કર માર્યો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયે 11 મોતની પુષ્ટિ કરી છે, પરંતુ ઘટનાસ્થળે હાજર હમાસના લડવૈયાઓએ પત્રકારોને અંદર જવા દીધા નહોતા. ઇઝરાયલનો દાવો vs હમાસનો વિરોધ ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હુમલો હમાસના “તાલીમ સંકુલ” પર કરવામાં આવ્યો હતો, જ્યાંથી ઇઝરાયલ પર હુમલાની તૈયારી ચાલી રહી હતી. હમાસે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે હુમલો એક રમતગમતના મેદાનમાં થયો હતો અને તેને “જઘન્ય ગુનો” ગણાવ્યો. છેલ્લા…









