સત્તાનો નહીં, સ્નેહનો સૂરજ: ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય વેળાએ વહીવટી તંત્ર હિબકે ચઢ્યું

સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર અને નાગરિકોની આંખો છલકાઈ ઉઠી હતી. સત્તાની ખુરશીનો રુઆબ ત્યજીને લોકોની વચ્ચે ‘ભઈલુ’ અને ‘સંગાથી’ બનીને રહેનારા આ અધિકારીની વિદાય એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ બની ગઈ હતી. સત્તા અને સંવેદનાનો અનોખો સંગમ મેહુલ કે. દવેએ તેમના કાર્યકાળ દરમિયાન સાબિત કરી દીધું કે જ્યારે સત્તા સંવેદના સાથે ભળે છે, ત્યારે વહીવટ માત્ર પ્રક્રિયા નથી રહેતો પણ એક ‘પરિવાર’ બની જાય છે. આંગણવાડીના ભૂલકાઓ માટે તેઓ ‘કલેક્ટર સાહેબ’ નહીં પણ વાર્તા કહેનારા ‘મોટા ભાઈ’ બનીને જમીન પર બેસી જતા. ખેડૂતોની વચ્ચે પલાઠી વાળીને બેસવું અને તેમની પીડા…

ટેક જગતે ટ્રમ્પ સામે અવાજ ઉઠાવવો જોઈએ: લિંક્ડઈનના રીડ હૉફમેની અપીલ

સિલિકોન વેલી: લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હૉફમેને ટેક ઉદ્યોગના આગેવાનોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનેસોટામાં થયેલી નાગરિકોની હત્યા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હૉફમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે “ટેક જગત ટ્રમ્પ સામે ઘૂંટણિયા ટેકવી નહી શકે.” ગૂગલના ચીફ સાઈન્ટિસ્ટ જેફ ડીન અને વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા જેવા મોટા ટેક આગેવાનો પણ ટ્રમ્પના આ અભિયાનની ટીકા કરી ચૂક્યા છે. હૉફમેનો દાવો છે કે સિલિકોન વેલીના ટેક લીડર્સોએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વધુ ખુલ્લેઆમ અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. મિનિયાપોલિસમાં ઘટેલી ઘટનાઓ હૉફમેનું કહેવું છે કે મિનિયાપોલિસમાં ફેડરલ એજન્ટ્સ દ્વારા રેની ગુડ અને એલેક્સ પ્રીટીની હત્યાઓ પછી ટેક લીડર્સ માટે ખુલ્લેઆમ બોલવાની જવાબદારી વધુ ગંભીર બની ગઈ છે. આ ઘટનાએ ટ્રમ્પ પ્રશાસન…

જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીનો ભાવભર્યો વિદાય સમારંભ, નવનિયુક્ત તલાટી મંત્રીએ સંભાળ્યો ચાર્જ

માંગરોળ તાલુકાના જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીની બદલીને અનુસંધાનરૂપ વિદાય સમારંભ યોજાયો. છેલ્લા અઢી વર્ષથી જુનાકોટડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા માયાબેન બારડને શીલ ગ્રામ પંચાયતમાં બદલી થતાં સ્થાનિકો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી. જુના કોટડા સરપંચ રેખાબેન નરસીંગભાઇ ખેર, તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં માયાબેન બારડની સેવા અને કાર્યની પ્રશંસા કરવામાં આવી. સમગ્ર પ્રસંગે તેમના માટે ફુલોના મોમેન્ટ અને ઉજવણીના કાર્યક્રમો આયોજિત કર્યા. આ પ્રસંગે નવનિયુક્ત તલાટી મંત્રી ભાવિકાબેન ખેરને પણ ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત આપવામાં આવ્યું અને તેમણે જુનાકોટડા ગ્રામ પંચાયતનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો. સમગ્ર કાર્યક્રમમાં સૌજન્ય, ભાવના અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

JDU નેતાએ PM મોદીને પત્ર લખી નીતિશ કુમાર માટે ભારત રત્નની માંગ કરી

જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની માગ કરી છે. કે.સી. ત્યાગીએ પત્રમાં જણાવ્યું કે સમાજવાદી આંદોલનના અનમોલ રત્ન નીતિશ કુમાર ભારત રત્ન માટે પૂરતું લાયક છે અને તેમને આ સન્માન મળવું જોઈએ. તેમણે જણાવ્યું, “30 માર્ચ 2024 આપણા પૂર્વજોને સન્માન આપવાનો દિવસ છે. તમારા પ્રયાસોથી સ્વર્ગસ્થ ચૌધરી ચરણ સિંહ અને કરપુરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તેઓના જનકલ્યાણ અને ખેડૂતોના હિત માટેના પ્રયાસો ખૂબ મહત્વપૂર્ણ રહ્યા છે.” પત્રમાં આગળ જણાવાયું છે કે, “હું તમારા પ્રયાસોથી પ્રભાવિત છું અને વિનંતી કરું છું કે સમાજવાદી આંદોલનના બાકી રહેલા અમૂલ્ય રત્ન નીતિશ કુમાર પણ ભારત રત્નના લાયક છે. લાખો લોકોની…

શેખ હસીનાની સરકાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાહીદ ઇસ્લામનું રાજીનામું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર અને અગ્રણી વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. નાહિદ ઇસ્લામ મંગળવારે બપોરે મોહમ્મદ યુનુસને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. નાહિદને ગયા વર્ષે મુહમ્મદ યુનુસ સરકારમાં ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સલાહકાર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. -> રાજીનામાનું કારણ જણાવ્યું :- ઇસ્લામે યુનુસને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “હાલની પરિસ્થિતિઓમાં, રાષ્ટ્ર અને તેના લોકોના હિતમાં, મારે દેશના વિદ્યાર્થી સમુદાય સાથે ઊભા રહેવું જોઈએ, તેથી મને લાગે છે કે મારે મારું રાજીનામું આપવું જોઈએ. -> નવી પાર્ટી શરૂ કરવાની તૈયારી :- સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ગયા વર્ષે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરનારા વિરોધ પ્રદર્શનોમાં મોખરે રહેલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ દ્વારા આ અઠવાડિયે…