પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે અવસાન, રાજકીય આલમમાં શોક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા. સવારે લગભગ 6:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. લાંબી અને સન્માનનીય રાજકીય સફર શિવરાજ પાટિલ ભારતીય રાજકારણમાં એક શાંત, સંયમિત અને સિદ્ધાંતોને અગત્ય આપતા નેતા તરીકે જાણીતા હતા. તેમના રાજકીય જીવનના મુખ્ય તબક્કાઓ: – લાતુર લોકસભા બેઠકથી 7 વખત ચૂંટાયેલા – 1991–1996 : લોકસભાના અધ્યક્ષ – આ સમયગાળા દરમિયાન લોકસભાનું આધુનિકીકરણ, કોમ્પ્યુટરાઇઝેશન, અને કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ થયું – 2004–2008 : કેન્દ્રીય ગૃહમંત્રી – 26/11 મુંબઈ આતંકી હુમલા બાદ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું – 2010–2015 : પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક વ્યક્તિગત જીવન અને શરૂઆત –…







