PM મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના, કહ્યું આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલી કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે ‘ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી ચાલ્યા આવે છે. -> પીએમ મોદી કુવૈતના ટોચના નેતૃત્વને મળશે :- વડાપ્રધાને લખ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને…

PM મોદી લેશે કુવૈતની મુલાકાત, 43 વર્ષ બાદ પ્રથમવાર કોઇ ભારતીય PM દ્વારા આ દેશનો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બરે કુવૈતની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની ખાડી દેશ કુવૈતની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ કુવૈતના વિદેશ મંત્રી ભારત આવ્યા હતા અને પીએમને કુવૈત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ પહેલા વર્ષ 1981માં એક ભારતીય પીએમ કુવૈતની મુલાકાતે ગયા હતા. -> પીએમ મોદીની આ પ્રથમ કુવૈત મુલાકાત હશે :- ભારત અને કુવૈત વચ્ચે 1961માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો શાનદાર રહ્યા છે. કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો વસે છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)માં કુવૈત એકમાત્ર એવો દેશ છે જ્યાં પીએમ મોદીએ હજુ સુધી મુલાકાત લીધી નથી.કુવૈત હાલમાં GCCનું અધ્યક્ષ રાષ્ટ્ર છે. કુવૈત ઉપરાંત, GCCમાં સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા,…