ભારતે આ 9 સ્થળો પર કરી એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિંદૂર’ માં આતંકીઓનો થયો સફાયો

આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને POKમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ બધા લક્ષ્યોને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર સંપૂર્ણ આયોજન સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં કરવામાં આવી એરસ્ટ્રાઈક 1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય દળો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. 2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. લશ્કર-એ-તૈયબા કેમ્પ 26/11 ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો…