પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો ચોંકાવનારો નિવેદન: “અમેરિકા માટે બધું કર્યું, પરંતુ ફક્ત ઉપયોગ કર્યો”
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની મિત્રતા ફરીથી ચર્ચામાં આવી છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રાષ્ટ્રીય સભામાં આપેલા ચોંકાવનારા નિવેદનમાં અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ પાકિસ્તાનનો ઉપયોગ ટોઇલેટ પેપરની જેમ કર્યો અને હેતુ પૂર્ણ થતાં જ તેમને ફેંકી દીધું. યુદ્ધ અને ઐતિહાસિક નિર્ણયો પર કડક આક્ષેપ ખ્વાજા આસિફે ઝિયાઉલ હક અને પરવેઝ મુશર્રફ જેવા ભૂતપૂર્વ સૈન્ય વડાઓને પણ ટાર્ગેટ કરતા જણાવ્યું કે 1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં રશિયાની સામે અમેરિકા માટે બળવો મોકલવાનો પાકિસ્તાની નિર્ણય મોટો ભૂલ હતો. પ્રધાનના જણાવ્યા અનુસાર, તે સમયના યુદ્ધો ધર્મ કે ઇસ્લામ માટે નહોતા, પરંતુ માત્ર મહાસત્તાની પ્રશંસા મેળવવા માટે લડાયા હતા. તેમણે જણાવ્યું કે વાસ્તવમાં, આ જેહાદ નહીં પરંતુ તેને જેહાદ નામ આપવામાં આવ્યું હતું. 2001 અને તાલિબાન…
વાટાઘાટો નિષ્ફળ! પાક-અફઘાન તણાવ ચરમસીમાએ, ખ્વાજા આસિફના યુદ્ધ સંકેતથી ચકચાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આખરે નિષ્ફળ નીવડી છે. બંને દેશોના સરકારી માધ્યમોએ વાટાઘાટો તૂટી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, કાબુલ સરકારે પાકિસ્તાનની “કાયદેસર માંગણીઓ” સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે વાટાઘાટો અટકી ગઈ છે. પાકિસ્તાનની મુખ્ય માંગણીઓ પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે સ્પષ્ટ ખાતરી માંગી હતી કે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ માટે નહીં કરવામાં આવે. પાકિસ્તાની રક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં રહેલી તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ની પ્રવૃત્તિઓ સતત વધતી જઈ રહી છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં અશાંતિ વધી રહી છે. અફઘાનિસ્તાને તેના પ્રતિભાવમાં જણાવ્યું કે તેની ટીમ રચનાત્મક વાટાઘાટો માટે પ્રતિબદ્ધ હતી, પરંતુ પાકિસ્તાની પક્ષે હઠીલો વલણ અપનાવ્યું. ખ્વાજા આસિફનું વિવાદાસ્પદ નિવેદન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ…
Pakistan: ‘અમે યુદ્ધ ટાળવા માંગીએ છીએ’ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ” અને હાલની સ્થિતિને સંપૂર્ણ યુદ્ધમાં પરિવર્તિત થતી અટકાવવી જોઈએ. આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ભારતે પીઓકે અને પંજાબમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલાઓનો ઉદ્દેશ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવો હતો, જેમાં 26 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ખ્વાજા આસિફે CNNના ‘Connect the World’ કાર્યક્રમમાં એન્કર બેકી એન્ડરસન સાથે વાતચીત દરમિયાન સ્વીકાર્યું કે ભારતે મંગળવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી. તેમણે આ ઘટનાને “સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવી અને…









