જમ્મુ કશ્મીર: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9 લોકોના મોત 27 ઘાયલ

શુક્રવારે રાત્રે દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. રાત્રે 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં 9 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે, જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાસ્થળે માનવ શરીરના અવશેષો 300 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયાનું જાણવા મળ્યું છે. ssવિસ્ફોટના પ્રહારથી પોલીસ સ્ટેશનનો મોટો ભાગ ઢળી પડ્યો. આગના ગોટેગોટા અને ઘેરો ધુમાડો દૂર સુધી જોવા મળ્યો. બચાવ કાર્યને શરૂઆતમાં મુશ્કેલી પડી કારણ કે નાના વિસ્ફોટો સતત થતા રહ્યા. કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શકયતા વ્યક્ત થઈ છે. તપાસના બે મુખ્ય સંદર્ભો: સુરક્ષા એજન્સીઓ આ વિસ્ફોટને લઈને બે ખૂણાઓથી તપાસ કરી રહી છે: 1. બેદરકારીનો મુદ્દો પોલીસ સ્ટેશનની અંદર 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક સામગ્રી…

Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી દીધું છે. પાકિસ્તાનની એવિએશન ઓથોરિટી (PAA) દ્વારા બુધવારે મોડી રાત્રે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે “લાહોર અને ઇસ્લામાબાદના હવાઈ મથકો પર કોઈ પણ કોમર્શિયલ ફ્લાઇટનું ચલણ રહેશે નહીં”, અને તે હવાઈ ક્ષેત્ર હાલ બંધ છે. જોકે, કરાચી એરપોર્ટ યથાવત કાર્યરત છે. આ નિર્ણય એ સમયે લેવાયો છે જ્યારે ભારતે મંગળવાર-બુધવારની રાત્રે પીઓકે અને પાકિસ્તાનના આંતરિક ભાગોમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલથી નિશાન સાધ્યું હતું. આ હુમલાઓ 22 એપ્રિલના પહેલગામ હુમલાનો બદલો તરીકે કરવામાં આવ્યા હતા, જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા. વિશ્વભરમાંના રવાણાઓ માટે…