પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે, જે દર્શાવે છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહેલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાનના માહિતી મંત્રી તરારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક…
આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં, આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા પગલાંના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ પસાર થઈ શકે છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનું કહેવું છે કે આ સત્ર આતંકવાદ સામે ખાસ રહેશે. પહેલગામ હુમલા બાદ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે આ વિનંતી સ્વીકારી અને 28 એપ્રિલે ખાસ સત્ર બોલાવવાની મંજૂરી આપી. સત્ર સવારે 10:30 વાગ્યે શરૂ થશે. વિપક્ષના નેતા સુનીલ શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં બધાએ આતંકવાદ સામે એકતા દર્શાવી હતી. જમો કેમ મહત્વ છે આ સત્ર આતંકવાદ અંગે કેન્દ્રના નિર્ણયોના સમર્થનમાં બધા…








