અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની 12 દુકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે, ખાસ કરીને એસજી હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં. આ સમસ્યાને દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે કર્ણાવતી ક્લબ સામે આવેલી 12 દુકાનોને સીલ કરી દેવાની કાર્યવાહી કરી છે. ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના અભાવને કારણે પગલાં એસજી હાઈવે પર આવેલી આ દુકાનો પાસે યોગ્ય પાર્કિંગની સુવિધા ન હોવાથી દુકાન પર આવતા ગ્રાહકો રસ્તા પર જ વાહન પાર્ક કરતા હતા. પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો વધતા AMCએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. રાત્રિના સમયે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દુકાનોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી AMCએ અગાઉથી આ દુકાનદારોને લેખિત અને મૌખિક રીતે પાર્કિંગની વ્યવસ્થા…