ગુજરાતનું જાહેર દેવું 3.99 લાખ કરોડ, બજાર લોન પર 22,440 કરોડ વ્યાજ ચૂકવ્યું

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જાહેર દેવાના પરિસ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે રાજ્યનું કુલ જાહેર દેવું 3.99 લાખ કરોડ રૂપિયાના આંકડામાં પહોંચ્યું છે. આ કુલ દેવું કેન્દ્રીય સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, અને બજાર લોનથી મેળવવામાં આવ્યું છે. 22,440 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવાયું હાલમાં, રાજ્ય સરકારને વર્ષ 2024-25 માટે બજાર લોન પર 22,440 કરોડ રૂપિયાનો વ્યાજ ચૂકવવો પડ્યો છે. રાજ્ય સરકારએ કેન્દ્રીય સરકાર પાસેથી 7 થી 50 વર્ષના સમયગાળે લોન મેળવી છે, જ્યારે બજાર લોન 2 થી 15 વર્ષની મુદત માટે લીધી છે. મંત્રી જીતુ વાઘાણીની ટિપ્પણી આ મુદ્દે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ આદર્શ વાત કરી, જેમાં તેમણે કહ્યું કે “બચત કરીને રાજ્યનું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ બેઠક: યોજનાઓની તાત્કાલિક અમલવારીના નિર્દેશ અપાયા

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને રૂ. 5,330 કરોડથી વધુની સહાય, જાણો વિગત

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે ઐતિહાસિક પગલાં લીધાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં બે અલગ-અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, જેનાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધી રાહત મળી છે. 5,330 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં પ્રવક્તા મંત્રીના જણાવ્યા અનુસાર, આ બંને કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોના કુલ રૂ. 6,890.98…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…