અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ અચાનક વેંસના ઘરમાં ઘૂસી ગયો હતો અને તોડફોડ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે પથ્થરમારો કરીને ઘરની બારીઓ તોડી હતી. સદનસીબે આ સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ઘરમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. હાલ તપાસ એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલો પાછળ શું કારણ હતું અને શું હુમલાખોરનો ઉદ્દેશ જે.ડી. વેંસ અથવા…
ટ્રમ્પની ઇઝરાયલને કડક ચેતવણી, કહ્યું-“West Bankનું જોડાણ કર્યું તો ગુમાવશો આખો અમેરિકી સપોર્ટ!”
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઇઝરાયલને તીખી ચેતવણી આપી છે કે જો તે કબજે કરેલા પશ્ચિમ કાંઠા (West Bank)નું જોડાણ કરવાનો પ્રયાસ કરશે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી મળતો આખો ટેકો ગુમાવી દેશે. આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલની સંસદ નેસેટ (Knesset)માં આ જોડાણના સમર્થનમાં એક પ્રારંભિક મતદાન પસાર થયું છે. જેનાથી વ્હાઇટ હાઉસમાં તણાવ ઊભો થયો છે. ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ ટ્રમ્પે વોશિંગ્ટનમાં આપેલા નિવેદનમાં કહ્યું,“મેં આરબ દેશોને વચન આપ્યું છે કે પશ્ચિમ કાંઠાનું જોડાણ નહીં થાય. જો ઇઝરાયલ આ દિશામાં આગળ વધશે, તો તે અમેરિકાના તમામ પ્રકારના સપોર્ટથી વંચિત થશે.” તેમણે ઉમેર્યું કે આરબ દેશો સાથેના નવા સંબંધો અને શાંતિ પ્રયોગો જોખમમાં મુકાઈ શકે છે જો ઇઝરાયલ આ પગલું લે છે. વ્હાઇટ હાઉસ…
US ઉપરાષ્ટ્રપતિ J.D. Vance નો ભારત પ્રવાસ, PM મોદીની હાજરીમાં થશે દ્વિપક્ષીય ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 22 એપ્રિલથી 4 દિવસ માટે ભારતના ઐતિહાસિક પ્રવાસે આવી રહ્યા છે. તેમના સાથે તેમના પત્ની ઉષા વાન્સ (ભારતીય મૂળની) અને ત્રણ સંતાનો પણ છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. પ્રવાસનો શરૂઆતનો દિવસ જેડી વાન્સ પરિવાર સોમવારે સવારે પાલમ એરબેઝ પર પહોંચશે. અહીં તેમનું સ્વાગત એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી કરશે. દિલ્હીમાં, વેન્સ પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. તેઓ પરંપરાગત હસ્તકળાના શોપિંગ કોમ્પ્લેક્સ પણ જોઈ શકે છે. PM મોદીના સાથે મહત્વપૂર્ણ બેઠક અને રાત્રિભોજન સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદીની હાજરીમાં દ્વિપક્ષીય ચર્ચા યોજાશે, જેમાં વેપાર, ટેરિફ, ટેક્નોલોજી સહકાર, અને આંતરરાષ્ટ્રીય મામલાઓ પર ચર્ચા થશે. ત્યારબાદ PM મોદીના નિવાસસ્થાને વિશિષ્ટ…









