‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ
તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…
જાપાનમાં નવા વર્ષની ‘ધ્રૂજતી’ શરૂઆત: નોડા વિસ્તારમાં 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. બુધવાર અને ગુરુવારની મધરાત્રિએ સ્થાનિક સમય મુજબ 12:26 વાગ્યે, જાપાનના પૂર્વી નોડા (Noda) વિસ્તારના દરિયાકાંઠે 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી આશરે 19.3 કિમીની ઊંડાઈએ હતું. રાત્રિના સમયે આવેલા આ આંચકાથી અનેક વિસ્તારોમાં ઈમારતો ધ્રુજવા લાગી હતી અને ઘરોમાં રાખેલો સામાન નીચે પડ્યો હતો. ભયભીત લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા મિયાકો શહેરથી લગભગ 96 કિમી દૂર દરિયામાં નોંધાયા હતા, જેની અસર હચિનોહે અને કામાઈશી જેવા શહેરોમાં પણ અનુભવાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે આ ભૂકંપ બાદ કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને અત્યાર સુધી કોઈ મોટી…
જાપાનમાં 7.6 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 10 ફૂટ સુધી ઊંચા સુનામી મોજાની ચેતવણી
જાપાનના ઉત્તરી કિનારે સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા દેશમાં ગભરાટ ફેલાયો છે. જાપાન હવામાન એજન્સી (JMA) મુજબ, ભૂકંપનો કેન્દ્રબિંદુ સમુદ્રની અંદર હોવાનું જણાતાં સુનામીનો ગંભીર ખતરો ઉભો થયો છે. ઇશિકાવા પ્રીફેક્ચર અને આસપાસના કિનારાકાંઠા વિસ્તારો માટે તાત્કાલિક સુનામી ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સુનામીના મોજા 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી ઊંચા ઉછળી શકે છે, જે મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓને તરત જ ઊંચી જમીન પર સ્થળાંતર કરવા સૂચના આપી છે. દરિયાકાંઠે રહેતા લોકોને દરિયા નજીકથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર અને કટોકટી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. રાષ્ટ્રીય ટીવી પર સતત સ્થળાંતર સંબંધિત સૂચનાઓ અને ચેતવણીઓ પ્રસારિત થઈ રહી…









