જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 3 લોકોના મોત, કાશ્મીર જવાનો રસ્તો બંધ

શ્રીનગર: ભારે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નશરી અને બનિહાલ વચ્ચે લગભગ 12 સ્થળોએ ભૂસ્ખલન અને કાદવ ધસી પડવાના બનાવો બન્યા છે.ભારે વરસાદને કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યા બાદ ખીણની જીવાદોરી સમાન શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે અને ત્રણ લોકોના મોત થયા છે. દ્રશ્યોમાં ટ્રકો અને વાહનો કાટમાળમાં ડૂબી ગયા હોવાનું જોવા મળે છે. આફતથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રામબનનો પણ સમાવેશ થાય છે.અનેક વૃક્ષો ઉખડી ગયા છે, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો છે અને વીજળી ગુલ થઈ ગઈ છે. ગુરુવારે અચાનક ભારે પવન અને વરસાદના કારણે આ વિસ્તારમાં ભારે પૂર આવ્યું હતું.ઉધમપુરમાં સતેની પંચાયતના ભૂતપૂર્વ સરપંચ પુરુષોત્તમ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે. “મેં મારી…