Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ
દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી દાદાનું બુલડોઝર ચાલશે. તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવી છે. બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ પણ વાંચો :- દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર મળતી માહિતી મુજબ, દ્વારકાના ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળો પર નોટિસ આપવામાં આવી છે. વધુ 69 ધાર્મિક સ્થળો પર તંત્રએ નોટિસ પાઠવી હતી. જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 15 દિવસની મુદત આપવામાં આવી છે. આ ઉપરાંત મુદ્ત પુર્ણ થાય અને દબાણો દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ…







