પુલવામા હુમલાની સાતમી વરસી, વીર જવાનોને રાષ્ટ્રનું નમન

આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ પુલવામા ખાતે 2019માં થયેલા ભયાનક આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. વર્ષ 2019માં આ જ દિવસે થયેલા આતંકી હુમલામાં Central Reserve Police Force (CRPF)ના 40 વીર જવાનો શહીદ થયા હતા. દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર આ સપૂતોને આજે રાષ્ટ્ર ગર્વ અને આંસુભીની આંખોથી યાદ કરી રહ્યું છે. શહાદતની કાળી બપોર અને અડગ રાષ્ટ્રવાદ 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં 40 જવાનોના બલિદાન બાદ ભારતે આતંકવાદ સામે વધુ કડક વલણ અપનાવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. શહીદોના…

દેશ માટે પ્રાણાર્પણ કરનાર શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને સંતરામપુરમાં ભાવભીની અંતિમ વિદાય

દેશની રક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપનાર સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના વતની શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને આજે સંતરામપુરમાં ભાવભીની અને ગૌરવસભર અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદની યાત્રા આજે સંતરામપુર નગરમાં આવી પહોંચતાં સમગ્ર વિસ્તાર શોક સાથે ગૌરવની લાગણીથી ભાવવિભોર બન્યો હતો. શહીદના પાર્થિવ દેહને સંતરામપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની પત્નીને અંતિમ દર્શન કરાવવામાં આવ્યા હતા. આ સમયે 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેર ડીડોર, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નીશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા સભ્યો તેમજ સંતરામપુર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શહીદના પાર્થિવ દેહને સંપૂર્ણ માન-સન્માન સાથે તેમના માદરે વતન સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ લઈ જવામાં આવ્યો હતો. ખેડાપા ગામમાં પરિવારજનો દ્વારા…

અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા

દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા બેઠક યોજી હતી. આ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુચારુ, શિસ્તબદ્ધ અને ગૌરવસભર આયોજન માટે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદન સમારોહ, પરેડ વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ, આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા, ટેબ્લો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉપસ્થિત રહેનારા નાગરિકોને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા…

આ તે કેવી કરુણા! આઠ કલાક પહેલા દીકરીનો જન્મ અને વીર જવાનને તિરંગામાં લપેટી આપી અંતિમ વિદાય

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના આરે દરે ગામમાં ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની શહીદીના હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ રજા લઈને ઘેર આવેલા પ્રમોદ જાધવ પરિવારની ખુશીઓમાં ભાગીદાર બનવાના હતા, પણ એક અચાનક માર્ગ અકસ્માતે તેમનું જીવ ગુમાવ્યું. દુઃખદ ઘટના પછી માત્ર 8 કલાકો પહેલા પ્રમોદની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો. જન્મ અને મૃત્યુનું આ સંઘર્ષભર્યું દૃશ્ય ગામલોકો અને સૈનિકો માટે અત્યંત હૃદયવિહારક હતું. નબળી સ્થિતિમાં હોવા છતાં, તેણી સ્ટ્રેચર પર પાર્થિવ દેહ જોવા માટે આવી, જેમાં તેના આંખોના આંસુઓ અને ધ્રૂજતા હોઠોએ સૌના હૃદયને પિઘળાવી દીધું. પ્રમોદ જાધવને તિરંગામાં લપેટીને “જય હિંદ”ના નારાઓ સાથે અંતિમ વિદાય આપવામાં આવી. સમગ્ર સમાજ અને સૈન્ય દ્વારા પરિવારને સમર્થન અને નવજાત દીકરીના ભવિષ્ય માટે મદદનો વિશ્વાસ…