ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ રાજદ્વારી નિર્ણયથી બંને દેશોની રાજકીય વાતચીતમાં તીવ્ર તણાવ જોવા મળી રહ્યો છે. ઘટનાઓની શરુઆત ભારત તરફથી થઈ હતી, જ્યારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને ભારત સરકાર દ્વારા “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરવામાં આવ્યા. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું કે તે અધિકારી ભારતમાં તેમના સત્તાવાર પદ સાથે સુસંગત પ્રવૃત્તિઓ કરતા નહોતા અને કથિત રીતે જાસૂસી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ચાર્જ ડી’અફેર્સને તાત્કાલિક બોલાવીને આ નિર્ણયની જાણ કરી અને સંબંધિત અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડવા આદેશ કર્યો.…
ભારતના વાંધા છતાં પાકિસ્તાનને IMF પાસેથી 1 અબજ ડોલરની લોન મંજૂર
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા પાકિસ્તાનને 1 અબજ અમેરિકી ડોલરની લોન મંજૂર કરવામાં આવી છે, જેના વિરોધમાં ભારતે તીખી આપત્તિ નોંધાવી છે. ભારતે ચેતવણી આપી છે કે આ નાણાંનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે, ખાસ કરીને સરહદ પાર ભારતમાં અસસ્થતા ફેલાવવાના હેતુથી. IMF સામે ભારતનો વાંધો ભારતે IMFની બેઠકમાં સ્પષ્ટ રીતે કહ્યું કે પાકિસ્તાનનો આર્થિક ટ્રેક રેકોર્ડ ભયંકર રીતે નબળો રહ્યો છે. છેલ્લા 35 વર્ષમાં પાકિસ્તાનએ 28 વખત IMF પાસેથી લોન લીધી છે. છતાંયે, આર્થિક સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ સુધારો જોવા મળ્યો નથી. ભારતના જણાવ્યા અનુસાર, “જો અગાઉની લોનનો યોગ્ય ઉપયોગ થયો હોત, તો પાકિસ્તાનને વારંવાર આર્થિક સહાયની જરૂર ન પડત”. સુરક્ષા બાબતે ચિંતાઓ ભારતે આ લોનને લઈને ગંભીર સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી…








