બિહારમાં NDAની લહેર: એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મોટો ઝટકો, પ્રશાંત કિશોરની JSP પણ ધોવાઈ ગઈ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બહાર આવેલા વિવિધ એક્ઝિટ પોલના અંદાજોમાં NDA માટે ઐતિહાસિક જીતના સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ફરી સત્તામાં વાપસી કરશે, તેવો અનુમાન મોટાભાગની એજન્સીઓએ વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલના સંકલિત આંકડા મુજબ: NDA ને 147 થી 167 બેઠકો મળવાની શક્યતા છે. મહાગઠબંધન (રાષ્ટ્રીય જનતા દળ + કોંગ્રેસ) ને 70 થી 90 બેઠકો મળી શકે છે. અન્ય નાના પક્ષો, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી (JSP) પણ શામેલ છે, તેમને 0 થી 2 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. આ આંકડા સૂચવે છે કે NDA…

લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મુએ CrPCની કલમ 197(1) અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 218 હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ED એ ચાર્જશીટ દાખલ કરી ED રેલવેમાં નોકરી માટે જમીન કૌભાંડની તપાસ કરી રહી છે. ED એ ગયા વર્ષે ઓગસ્ટમાં 76 વર્ષીય બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, તેમના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો…