ટ્રેનમાં લોઅર બર્થ નીચે સામાન મૂકવાનો હક કોનો? રેલવેનો નિયમ જાણી ગેરસમજ દૂર કરો

ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરો વચ્ચે સીટ, બર્થ અને સામાન રાખવાની જગ્યા અંગે ઘણી વખત ગેરસમજ અને દલીલો જોવા મળે છે. ખાસ કરીને લોઅર બર્થની નીચે સામાન રાખવા અંગે મુસાફરોમાં અનેક પ્રકારની માન્યતાઓ છે. ઘણા મુસાફરો એવું માને છે કે જે વ્યક્તિને લોઅર બર્થ ફાળવવામાં આવી છે, તેને બર્થની નીચેની સંપૂર્ણ જગ્યા પર એકમાત્ર અધિકાર હોય છે. જોકે, લોઅર બર્થની નીચેની જગ્યા અંગે આવી માન્યતા યોગ્ય નથી. એક જ કૂપે અથવા કેબિનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોને પણ નિયમો અને વ્યવહારિક વ્યવસ્થા મુજબ પોતાના સામાન માટે જગ્યા જોઈએ છે. લોઅર બર્થ મળ્યું એટલે નીચેની જગ્યા માત્ર તમારી નહીં ટ્રેનની ટિકિટ પર લોઅર બર્થ ફાળવવામાં આવી હોય તો તેનો અર્થ એ…

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વંદે ભારત, શતાબ્દી સહિત ટ્રેનો રદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું. પરિણામે વંદે ભારત, શતાબ્દી સહિત 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરી પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂર તપાસો.   દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદની સીધી અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે આવેલા પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં મુસાફરોની…