અમેરિકન સબમરીને શ્રીલંકન દરિયાકાંઠા પાસે ઈરાનનું જહાજ ડૂબાડ્યું, 80 લોકોના મોતની આશંકા
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષનો વ્યાપ હવે શ્રીલંકાના દરિયાકાંઠા સુધી પહોંચી ગયો છે. અમેરિકાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા નજીક એક ઈરાની જહાજ પર સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે જહાજ ડૂબી ગયું. આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 32 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. અમેરિકન સબમરીનનો ટોર્પિડો હુમલો અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથએ જણાવ્યું કે મંગળવારે મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમના અનુસાર, એક અમેરિકન સબમરીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં રહેલા ઈરાની જહાજને નિશાન બનાવી ટોર્પિડો હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો કે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત ટોર્પિડો દ્વારા દુશ્મન દેશના જહાજને ડૂબાડવાની…







