માલદીવ : માલે-વિલિંગીલી વચ્ચે થિલામાલે બ્રિજનું જોડાણ પૂર્ણ, ભારતની મદદથી માલદીવમાં કનેક્ટિવિટીને મોટી ગતિ
માલદીવની રાજધાની માલે અને નજીકના વિલિંગીલી (વિલિમાલે) ટાપુને જોડતા મહત્વાકાંક્ષી ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ (GMCP) હેઠળ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. 22 ઓગસ્ટ 2026ના રોજ માલે અને વિલિંગીલી વચ્ચેના થિલામાલે બ્રિજનો અંતિમ સેગમેન્ટ જોડવામાં આવ્યો હતો. આ સાથે બંને ટાપુઓ વચ્ચે બ્રિજનું મુખ્ય સ્ટ્રક્ચરલ જોડાણ પૂર્ણ થયું છે. જોકે, સમગ્ર પ્રોજેક્ટ હજુ પૂર્ણ થયો નથી અને બ્રિજના અંતિમ કામ, રોડ, રેલિંગ, લાઇટિંગ સહિતની કામગીરી ચાલુ રહેશે. આ પ્રોજેક્ટ ભારત અને માલદીવ વચ્ચેના સહકારનું પણ મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે. ભારત દ્વારા આ પ્રોજેક્ટ માટે 100 મિલિયન અમેરિકન ડોલરની ગ્રાન્ટ અને 400 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવી છે. એટલે કે પ્રોજેક્ટ માટે ભારત તરફથી કુલ 500 મિલિયન ડોલરની નાણાકીય મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 6.74…
IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને નવો દાવો, અમેરિકાએ આપી હતી ચેતવણી
હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધજહાજ IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને એક નવો દાવો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જહાજ પર સવાર એક ઈરાની નાવિકને હુમલા પહેલા પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ક્રૂ મેમ્બર્સને જહાજ છોડવાની બે વખત ચેતવણી આપી હતી. અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો આ જાણકારી તે નાવિકે પોતાના પિતાને હુમલાના થોડા સમય પહેલા આપી હતી. તેનાથી શ્રીલંકાની પાસે થયેલા અમેરિકી સબમરીનના હુમલા પહેલાના થોડા સમય પહેલાની તસ્વીર સામે આવી છે. આ દાવો ઈરાનના સત્તાવાર નિવેદનથી અલગ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું કે તેમના યુદ્ધ જહાજ IRIS ડેના પર આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ ચેતવણી વગર હુમલો કરવામાં આવ્યો. સૈયદ…
મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનથી રાષ્ટ્રપતિ રાજોએલિનાનું દેશ છોડીને ફારાર
હિંદ મહાસાગરના પૂર્વ કિનારે આવેલા આફ્રિકાના ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના અઠવાડિયા લાંબા હિંસક વિરોધ પ્રદર્શનોએ રાજકીય તણાવની નવી સીમા પાર કરી છે. રાષ્ટ્રપતિ આન્દ્રે રાજોએલિનાએ રવિવારે દેશ છોડીને ફરાર થવાનો નિર્ણય લીધો છે. તેમણે દાવો કર્યો કે દેશમાં સૈન્ય દ્વારા બળવો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઘટના Gen-Z બળવો અને ઉચ્ચ કક્ષાના અધિકારીના રાજીનામાનું તાજુ ઉદાહરણ બની છે. નોંધનીય છે કે ગયા મહિને નેપાળમાં પણ આવા જ Gen-Z વિરોધોના કારણે વડા પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. ફ્રેન્ચ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામત બહાર કાઢ્યું રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર એક ફ્રેન્ચ લશ્કરી વિમાને રાષ્ટ્રપતિ રાજોએલિનાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો. આ પહેલાં ફ્રેન્ચ દૂતાવાસે મેડાગાસ્કરમાં કોઈ પણ પ્રકારના લશ્કરી હસ્તક્ષેપનું…









