“પોરબંદર નજીક નૌકાદળનું ડ્રોન ક્રેશ: ધરમપુરના ખેતરમાં પટકાયું ડ્રિશ્ટી-૧૦ UAV.”

પોરબંદર: ભારતીય નૌકાદળનું ડ્રિશ્ટી-૧૦ (Drishti-10) UAV ક્રેશ, કોઈ જાનહાનિ નહીં પોરબંદર: ગુજરાતના પોરબંદર નજીક ગઈકાલે બુધવારે બપોરે ભારતીય નૌકાદળનું એક અદ્યતન ‘ડ્રિશ્ટી-૧૦’ (Drishti-10) અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ક્રેશ થયું છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે UAV પોરબંદર સ્થિત નેવલ એર એન્ક્લેવથી ટેક-ઓફ કર્યાના થોડા સમય બાદ જ નિયમિત તાલીમ ઉડાન (Training Sortie) પર હતું. શું બની ઘટના? મળતી માહિતી મુજબ, ડ્રિશ્ટી-૧૦ UAV પોરબંદરથી આશરે ૬ કિમી દૂર આવેલા ધરમપુર ગામના એક ખુલ્લા ખેતરમાં જઈને પડ્યું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને જમીન પર રહેલી કોઈ ખાનગી મિલકતને પણ નુકસાન પહોંચ્યું નથી. નૌકાદળના અધિકારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તપાસના આદેશ ભારતીય નૌકાદળે આ ઘટનાની પુષ્ટિ…