GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’

વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં વૃદ્ધિ ઘટાડાની ચિંતામાં છે, ત્યાં ભારત 8% થી વધુ GDP વૃદ્ધિ દર સાથે સ્થિરતા અને વિશ્વાસના મજબૂત સ્તંભ તરીકે ઉજાગર થયું છે. લાંબા ગાળાના રિફોર્મ પર ભાર PM મોદી મુજબ આજે ભારતની નીતિઓ પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આગામી પેઢીના GST, ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર, નાના ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારણા અને ઘણા ઉત્પાદનોને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણમાંથી મુક્તિ જેવા પગલાંને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. ‘ગુલામી માનસિકતા’માંથી મુક્ત થવાની અપીલ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બ્રિટિશ…

ભારતીય અર્થતંત્રને મોટો આંચકો: રૂપિયો પહેલીવાર ₹90 ના સ્તર સુધી તૂટ્યો, જાણો વિગત

ભારતીય ચલણ રૂપિયાએ મંગળવારે તેની ઇતિહાસની સૌથી મોટી ગિરાવટ નોંધાવી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 42 પૈસા તૂટીને ₹89.95 પ્રતિ ડોલરના સ્તર પર બંધ રહ્યો. દિવસ દરમિયાન રૂપિયો પહેલીવાર ₹90.00 ના મનોવૈજ્ઞાનિક અને અત્યંત સંવેદનશીલ સ્તર સુધી તૂટી પડ્યો, જેના કારણે બજારમાં ભારે ગભરાટ ફેલાયો. રૂપિયામાં આટલી મોટી ગિરાવટ કેમ? રૂપિયાના પતન પાછળ અનેક પરિબળો જવાબદાર છે: – આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ – વેપારીઓનું ડોલર વેચાણ વિદેશી મૂડીની બહાર વેચાણ (FII Sell-off) સોમવારે જ FIIએ શેરબજારમાંથી ₹1,171.31 કરોડનું વેચાણ કર્યું હતું, જેના કારણે બજાર પર દબાણ વધ્યું અને સેન્સેક્સ 503 પોઈન્ટ તૂટીને 85,138.27 પર બંધ રહ્યો. કરન્સી નિષ્ણાતોની ચેતવણી કોટક સિક્યોરિટીઝના કરન્સી નિષ્ણાત અનિંદ્ય બેનર્જીએ રૂપિયાની સ્થિતિને ગંભીર ગણાવી. તેમણે જણાવ્યું “₹90 નું સ્તર તોડવું…

ભારતના GDPમાં FY26ના Q2માં 8.2% વૃદ્ધિ, અર્થતંત્ર ફરી મજબૂત પકડમાં

ભારતનું અર્થતંત્ર ફરી મજબૂત સ્થિતિમાં પ્રવેશ્યું છે. FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ભારતનો GDP 8.2% વૃદ્ધિ સાથે આગળ વધ્યો છે, જ્યારે પહેલા ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 7.8% હતી. અર્થશાસ્ત્રીઓએ આ વખતે 7.3% વૃદ્ધિનો અનુમાન લગાવ્યો હતો, જ્યારે RBI અને સરકાર બંનેએ પહેલા 7% માન્યું હતું. સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલાં સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ વિસ્તારોમાં માંગને પ્રોત્સાહન આપવા જેવા પગલાં આ વિકાસ દરને ઊંચો લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે. પ્રાઇમરી સેક્ટર (કૃષિ અને માઇનિંગ)માં વૃદ્ધિ: – કૃષિ ક્ષેત્રમાં 3.5% વૃદ્ધિ, ગયા વર્ષની તુલનામાં થોડી ધીમી – માઇનિંગ સેક્ટરમાં સ્થિરતા, માત્ર 0.04% ઘટાડો – ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ જણાવ્યું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ…

પુતિનની બમ્પર ઓફર: રશિયાએ ભારતને યુરલ ક્રૂડ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપીને તેલ બજારમાં હલચલ મચાવી

રશિયાએ ભારતીય રિફાઇનર્સને યુરલ ક્રૂડ પર બે વર્ષમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ડિસેમ્બર લોડિંગ અને જાન્યુઆરીના આગમન માટે કાર્ગો હવે બ્રેન્ટ કરતા $7 પ્રતિ બેરલ સસ્તું ઓફર કરવામાં આવ્યું છે. અગાઉનો ડિસ્કાઉન્ટ માત્ર $3 પ્રતિ બેરલ હતો. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે રિલાયન્સ સહિત ભારતના મુખ્ય રિફાઇનર્સે યુએસ પ્રતિબંધોને કારણે રશિયન આયાતમાં ઘટાડો કર્યો હતો. ભારતીય રિફાઇનર્સ પર અસર કેટલાક કાર્ગો હવે પ્રતિબંધિત શ્રેણીમાં આવ્યાં છે. બિન-મંજૂરી પામેલા વિક્રેતાઓ પાસેથી ઉપલબ્ધ કાર્ગો માત્ર 20% સુધી ઘટી ગયા છે. રિફાઇનર્સ હવે ફક્ત બિન-બ્લેકલિસ્ટેડ કંપનીઓના કાર્ગો પર જ વિચાર કરી રહ્યા છે. રિલાયન્સનો નિર્ણય જામનગરમાં નિકાસ-માત્ર SEZ રિફાઇનરીમાં રશિયન ક્રૂડ પ્રોસેસિંગ બંધ. 1 ડિસેમ્બરથી SEZ રિફાઇનરી ફક્ત બિન-રશિયન તેલનો ઉપયોગ કરશે. 2026માં…

અમેરિકાના નવા પ્રતિબંધો : રશિયન તેલ આયાત પર ભારત પર અસર, વૈકલ્પિક સ્ત્રોતોની શોધ શરૂ

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રશિયન કંપનીઓ પર નવા પ્રતિબંધો અમલમાં આવ્યા છે, જેના પગલે ભારતમાં રશિયન તેલની આયાતમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા છે. આ પ્રતિબંધો રોઝનેફ્ટ અને લુકોઇલ તથા તેમની બહુમતી માલિકીની પેટાકંપનીઓ પર લાગુ થયા છે અને 21 નવેમ્બરથી અસરકારક છે. પ્રતિબંધોના અમલ બાદ આ કંપનીઓ માટે ક્રૂડ તેલનું ખરીદવું કે વેચવું લગભગ અશક્ય બની ગયું છે. ભારતની રશિયન તેલ આયાત પર અસર આ વર્ષે ભારત દરરોજ સરેરાશ 1.7 મિલિયન બેરલ રશિયન તેલ આયાત કરતું રહ્યું છે. નવેમ્બરમાં આ દર 1.8–1.9 મિલિયન બેરલ સુધી પહોંચી શકે છે, કારણ કે રિફાઇનરીઓ સસ્તું તેલ વધુ ખરીદે છે. વિશ્લેષકોનો અંદાજ છે કે આગામી મહિને આ આયાત દરરોજ લગભગ 400,000 બેરલ સુધી ઘટી શકે છે. પશ્ચિમ એશિયાઈ તેલ પર ભારતની…

સંદીપ પ્રધાન સેબીના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત, કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

ભારતના નાણાકીય બજારના નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં એક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. 1990 બેચના આઈઆરએસ અધિકારી સંદીપ પ્રધાનને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે સેબીના પૂર્ણ સમયના સભ્ય (Whole-Time Member) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિક્યોરિટીઝ માર્કેટને મજબૂત બનાવવા દિશામાં પગલું સંદીપ પ્રધાન ભારતીય રેવન્યુ સર્વિસ (IRS–Income Tax)ના વરિષ્ઠ અધિકારી છે અને તેમની આ નિમણૂકથી સેબીના બોર્ડને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પ્રધાનનો અનુભવ નાણાકીય બજાર, ટેક્ષેશન અને નીતિ નિર્માણમાં વિશેષ રહ્યો છે, જે રોકાણકારોના હિતો અને બજારની પારદર્શિતા વધારવામાં મદદરૂપ બનશે. ત્રણ વર્ષનો કાર્યકાળ તેમની નિયુક્તિ પદભાર સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે અથવા સરકારના આગળના આદેશો સુધી, જે વહેલું હોય તે અમલમાં…

ભારતનો વિકાસ રોકવો અશક્ય: GDP 7.5% વૃદ્ધિ સાથે અર્થતંત્ર પર ચાર ચાંદ લગશે, SBI રિપોર્ટમાં દાવો

ભારતનું અર્થતંત્ર આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 7.5 ટકા અથવા તેથી વધુ દરે વૃદ્ધિ પામશે, એવું SBI રિસર્ચના તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે સપ્ટેમ્બર અંતે GST દરમાં ઘટાડો અને તહેવારોની મોસમમાં વેચાણમાં વધારોના કારણે શક્ય બની રહી છે. અહેવાલ અનુસાર, રોકાણ પ્રવૃત્તિમાં વધારો, ગ્રામીણ વપરાશમાં સુધારો, અને સેવાઓ તેમજ ઉત્પાદન ક્ષેત્રોમાં ઝડપથી વૃદ્ધિ આ ઉંચી GDP વૃદ્ધિને ટેકો આપી રહી છે. GSTના માળખાકીય સુધારાઓએ પણ સ્થાનિક માંગને મજબૂત બનાવવામાં મદદ કરી છે. મુખ્ય આંકડા અને અનુમાન SBIના અહેવાલ મુજબ, બીજા ક્વાર્ટરના મુખ્ય અર્થશાસ્ત્રીય સૂચકાંકો 83% વધ્યા છે, જ્યારે પહેલા ક્વાર્ટરમાં આ દર 70% હતો. નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ સંબંધિત મોડેલ અનુસાર 7.5% હોવાની અપેક્ષા છે. ભારતીય રિઝર્વ બેંકે બીજા…

મૂડીઝનો અહેવાલ: વિશ્વમાં મંદી વચ્ચે ભારત રહેશે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વિશ્વભરના અનેક અર્થતંત્રો મંદીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતની ગતિ મજબૂત રહેવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ (Moody’s) દ્વારા બહાર પાડવામાં આવેલા “ગ્લોબલ મેક્રો આઉટલુક 2026-27” રિપોર્ટ અનુસાર, ભારત G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે. એજન્સીએ ભારત માટે આગામી બે વર્ષ માટે સરેરાશ 6.5% વૃદ્ધિ દરનો અંદાજ વ્યક્ત કર્યો છે. ભારતની તાકાત શું છે? મૂડીઝના જણાવ્યા અનુસાર, ભારતની આ મજબૂત વૃદ્ધિ પાયાવિહોણી નથી. મજબૂત માળખાકીય રોકાણ, ગ્રાહક માંગમાં સતત વધારો અને નિકાસમાં વૈવિધ્યકરણ આ ત્રણેય પરિબળો ભારતની ગતિને વેગ આપી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સે ભારતીય ઉત્પાદનો પર 50% સુધીના ટેરિફ લાદ્યા હોવા છતાં, ભારતીય નિકાસકારોએ નવા બજારો શોધી કાઢ્યા છે. પરિણામે, સપ્ટેમ્બર 2025માં અમેરિકાને નિકાસમાં 11.9% ઘટાડા છતાં ભારતની કુલ નિકાસમાં 6.75% નો…

ભારતના સોનાના ભંડારમાં નોંધાયો વધારો, ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું

ભારતીય અર્થતંત્ર માટે એક વધુ સકારાત્મક સંકેત મળ્યો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ફરીથી ઐતિહાસિક સ્તરોની નજીક પહોંચી ગયો છે, જેમાં સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, ભારતનો ફોરેક્સ રિઝર્વ $702.28 બિલિયન સુધી પહોંચી ગયો છે — જે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર $704.88 બિલિયનથી માત્ર $2.5 બિલિયન ઓછો છે. ભારતીય ચલણમાં આ અનામત હવે ₹61.5 લાખ કરોડથી વધુના સ્તર પર છે. ફોરેક્સ રિઝર્વમાં વધારાના મુખ્ય કારણો 17 ઓક્ટોબર 2025ના અઠવાડિયા સુધી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર $4.496 બિલિયન વધ્યો. પાછલા અઠવાડિયામાં પણ તેમાં $2.176 બિલિયનનો વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિનો મુખ્ય લાભ સોનાના ભાવમાં તેજી અને ડોલરના નબળા પડવાથી મળ્યો છે. સોનાના ભંડારમાં…

બુલિયનમાં તેજી વચ્ચે MCX એ સોના-ચાંદી પર માર્જિન વધાર્યો, જાણો વિગત

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) એ સોના અને ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ પર માર્જિન વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરના સમયમાં સોનાં અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે, જેના પગલે બજારમાં અસ્થિરતા વધી છે અને જોખમ વધુ બન્યું છે. – સોના પર હવે 7% માર્જિન લાગુ પડશે – અગાઉ કરતાં 1% વધારે. – ચાંદી પર હવે 11.5% માર્જિન લાગુ થશે – 1.5% નો વધારો કરાયો છે. આ ફેરફારો 14 ઓક્ટોબર, 2025થી લાગુ કરવામાં આવશે. MCX મુજબ, વૈશ્વિક સ્તરે વધતા ભાવો અને અસ્થિરતાને ધ્યાનમાં લઈને રોકાણકારોના રિસ્ક મેનેજમેન્ટ માટે આ પગલાં જરૂરી બન્યાં છે. નવો નિયમ રિટેલ ગ્રાહકો માટે નહીં, પણ ફ્યુચર્સ માર્કેટના ટ્રેડર્સ અને રોકાણકારો માટે લાગુ રહેશે. બજાર વિશ્લેષકો માને છે કે હવે…