અમેરિકા: પોલીસ કારના અકસ્માતમાં મોત પામનાર ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર માટે બેવડો આઘાત
અમેરિકાના સિએટલમાં જાન્યુઆરી 2023માં પોલીસ કારની ટક્કરથી જીવ ગુમાવનાર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર પર ફરી એકવાર દુઃખનો વલય તૂટી પડ્યો છે. લાંબી કાનૂની લડત બાદ સિટિ કાઉન્સિલ દ્વારા 29 મિલિયન ડોલર (અંદાજે 262 કરોડ રૂપિયા)ના વળતર (સેટલમેન્ટ)ની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ઐતિહાસિક જાહેરાતના માત્ર બે દિવસ પહેલાં જ જ્હાનવીના પિતા, નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ કંડુલા શ્રીકાંતનું હાર્ટ એટેકથી નિધન થયું. પિતાના અવસાનની વિગતો જ્હાનવીના પિતા કંડુલા શ્રીકાંત 10 ફેબ્રુઆરીના રોજ કુર્નૂલમાં હાર્ટ એટેકના કારણે અવસાન પામ્યા. તેમના અંતિમ સંસ્કાર 12 ફેબ્રુઆરીના રોજ અડોની ખાતે કરવામાં આવ્યા હતા. દુઃખની વાત એ છે કે વળતર અંગેની સત્તાવાર જાહેરાત તેમના અવસાનના માત્ર 48 કલાક બાદ થઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના 23 જાન્યુઆરી, 2023નાં રોજ અમેરિકનાં…
G20 Summit: પ્રધાનમંત્રી મોદીએ નેસ્પર્સના CEO સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા
G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની નેસ્પર્સના ચેરમેન કૂસ બેકર અને સીઈઓ ફેબ્રિસિયો બ્લોઈસી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને રોકાણ વધારવા પર ચર્ચા કરવામાં આવી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ જણાવ્યું કે, ચર્ચાનું કેન્દ્ર AI, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, અવકાશ ક્ષેત્ર અને ગ્રાહક ટેકનોલોજીમાં નવી તકોમાં રોકાણ વધારવાનો હતો. જયસ્વાલે ઉમેર્યું કે, નેસ્પર્સની સફળતા ભારતમાં વ્યવસાય સરળતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મજબૂત બનાવે છે. અંતરરાષ્ટ્રીય બેઠક અને સહયોગ વધારવો આ સમય દરમિયાન પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસ સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓએ સંરક્ષણ, સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજ, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી અને તેને વધુ આગળ વધારવા પર સંમત થયા.…
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા
કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ નિવેદન સાથે હાઈ કમિશનરે કેનેડામાં વધતી ભારતીય વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં સામેલ લોકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિનેશ પટનાયકે ખાલિસ્તાની જૂથોનું નામ લીધા વિના સંકેત આપ્યો કે કેટલીક તત્વો દ્વારા સર્જાતી અસુરક્ષા કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોને પણ અસર કરી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “આ કોઈ ભારતીય સમસ્યા નથી, આ કેનેડિયન સમસ્યા છે.” દેશનિકાલના આંકડાઓ ચિંતાજનક કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના તાજેતરના ડેટા મુજબ: – 2024 માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા. – જુલાઈ 2025 સુધીમાં, 1,891 ભારતીયોને દેશ છોડવાનું કહેવામાં આવ્યું…
મોઝામ્બિક બોટ દુર્ઘટના: 3 ભારતીય નાગરિકોના દુખદ અવસાન, 1 ઘાયલ, 5 બચાવાયા
ઇસ્ટ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોનો દુખદ અવસાન થયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. દુર્ઘટના મોઝામ્બિકના બીરા પોર્ટ નજીક ગુરુવારે બની હતી, જ્યારે એક લોન્ચ બોટ ટેન્કર પર કાર્યરત ક્રુ મેમ્બર્સને લઈ જઈ રહી હતી. આ દુર્ઘટનાની પૃષ્ટિ ભારતીય હાઈ કમિશને શનિવારે કરી હતી. બોટ પલટી જતાં 3 ભારતીયોનો લેવાયો ભોગ બોટમાં કુલ 14 ભારતીય નાગરિક સવાર હતા. યાત્રા દરમિયાન બોટ અચાનક પલટી ગઈ હતી. હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મામલે તપાસ ચાલુ છે. સ્થાનિક તંત્ર અને પોર્ટ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાંચ નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં…
ઇટાલી: માટેરામાં કાર-ટ્રક અકસ્માતમાં 4 ભારતીયોના કરુણ મૃત્યુ, દૂતાવાસ દ્વારા કરાયો શોક વ્યક્ત
દક્ષિણ ઇટાલીના માટેરા જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ઘટી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. મૃતકોની ઓળખ મૃતકોની ઓળખ મનોજ કુમાર (ઉમર 34), સુરજીત સિંહ (33), હરવિંદર સિંહ (31) અને જસકરણ સિંહ (20) તરીકે થઈ છે. ચારેય જણા પંજાબના વતની હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેઓ ખેડૂતો તરીકે કામ કરતા હતા. ઘટનાની વિગતો ઇટાલીની સમાચાર એજન્સી ANSA અનુસાર, કારમાં સવાર તમામ ભારતીય નાગરિકો નજીકના ખેતીવાડી વિસ્તારમાંથી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રક અને કાર વચ્ચે ગંભીર અથડામણ થતા કારમાં બેઠેલા તમામ લોકો ભારે અસરગ્રસ્ત…
અમેરિકામાં ગુજરાતીની ગોળી મારી કરૂણ હત્યા, પોલીસ અધિકારી અને મહિલા પણ ઘાયલ
અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબર્ગ શહેરમાં શનિવારે સવારે એક ઘાતક ગોળીબારમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલનો હત્યાકાંડ સામે આવ્યો છે. રાકેશ પટેલ હોટલમાં હાઉસકીપિંગના કામ કરતા હતા. હુમલાખોર દ્વારા અચાનક અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં રાકેશ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે એક મહિલા અને એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા છે. હુમલાખોરની ઝડપી ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઘટનાની વિગતો રાકેશ પટેલ પિટ્સબર્ગના રોબિન્સન ટાઉનશીપમાં હાઉસકીપિંગ સ્ટાફ હતા. શનિવારે સવારે, એક બંદૂકધારી હુમલાખોરે હોટલમાં ગોળીબાર શરૂ કર્યો. આ ગોળીબારમાં રાકેશ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા. અન્ય એક મહિલા અને એક પોલીસ અધિકારી પણ ગોળીબારમાં ઘાયલ થયા. પોલીસએ હુમલાખોરને ઝડપી અને…












