National Constitution Day: આજના દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ કરશે અધ્યક્ષતા, પ્રધાનમંત્રી હાજરી આપશે
આજે રાષ્ટ્રીય બંધારણ દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભારતના બંધારણીય મૂલ્યો, લોકશાહી પરંપરાઓ અને નાગરિક આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો મહત્વપૂર્ણ પ્રસંગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહની અધ્યક્ષતા કરે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ અને બંને ગૃહોના સંસદ સભ્યો ઉપસ્થિત છે. કાર્યક્રમની શરૂઆત લોકસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિના સંબોધનથી થશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરશે. સમારોહ દરમિયાન બંધારણની પ્રસ્તાવનાનું રાષ્ટ્રપતિ દ્વારા વાંચન કરવામાં આવશે, જે બંધારણ દિવસનું મુખ્ય આકર્ષણ છે. મહત્વપૂર્ણ પ્રકાશનોનું વિમોચન – બંધારણ દિવસના આ ખાસ પ્રસંગે નીચેના પ્રકાશનોનું ડિજિટલ મોડમાં વિમોચન કરવામાં આવ્યું: – ભારતનું બંધારણ 9 ભાષાઓ—મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામીમાં. –…
દરેક વ્યક્તિને વિદેશ મુસાફરી કરવાનો હક છે: બોમ્બે હાઈકોર્ટનો પાસપોર્ટ વિભાગને સ્પષ્ટ સંદેશ
મુસાફરી કરવી દરેક વ્યક્તિનો બંધારણીય હક છે અને તેનો ભંગ કરવો બંધારણની કલમ 21ના ઉલ્લંઘન સમાન છે, એવું મહત્વપૂર્ણ નિવેદન બોમ્બે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 76 વર્ષીય નાગરિક શરદ ખાટુના કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર તંત્રની ભૂલના આધારે કોઈ વ્યક્તિના મુસાફરીના અધિકારને રોકી શકાય નહીં. શરદ ખાટુનો કેસ: નિવૃત્ત નાગરિકને વિલંબનો ભોગ બનવો પડ્યો 76 વર્ષીય શરદ ખાટુએ તેમના પાસપોર્ટના નવીકરણ માટે અરજી કરી હતી, જેને પસાર કરવામાં ફોજદારી કેસ પેન્ડિંગ હોવાનું ઉલ્લેખ કરીને અટકાવી દેવામાં આવી હતી. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું કે તેમના વિરુદ્ધ કોઈ કેસ પેન્ડિંગ નથી. હાઈકોર્ટની બેન્ચ જસ્ટિસ એમ.એસ. સોનાક અને અદ્વૈત શેઠના એ જણાવ્યું કે અરજદાર પોતાનાં પુત્ર અને પૌત્રોને મળવા દુબઈ જવા ઈચ્છે છે, અને ફક્ત એક જુના…
‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ એ સાબિત કરે છે કે દેશના ન્યાયતંત્રમાં કાયદાની ઊંચી સ્થિતિ અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અખંડિત છે. CJI ગવઈ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ, વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ અને મુખ્ય ન્યાયાધીશ રેહાના મુંગલી ગુલબુલની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે “બુલડોઝર ન્યાય” એક ખતરનાક અભિગમ છે, જે કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરે છે અને બંધારણના કલમ 21 હેઠળ મળતા આશ્રયના હક્કનું ઉલ્લંઘન કરે છે. કાયદાનું શાસન – ન્યાયનો આધાર તેમણે ઉલ્લેખ કર્યો કે “રાજકીય ક્ષેત્રમાં કાયદાનું શાસન સુશાસન અને સામાજિક પ્રગતિના ધોરણ તરીકે…











